Site icon

  UP Train Derailment : ટ્રેન દુર્ઘટના પાછળ કાવતરું? ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરતા પહેલા લોકો પાયલટે સાંભળ્યો હતો વિસ્ફોટનો અવાજ.. હવે આ એંગલથી કરાશે તપાસ..

 UP Train Derailment : ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ચલાવતા લોકો પાયલટે ખુલાસો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ઉત્તર પૂર્વ રેલવેના સીપીઆરઓ પંકજ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

UP Train Derailment derailment of chandigarh express conspiracy behind train accident loco pilot heard

UP Train Derailment derailment of chandigarh express conspiracy behind train accident loco pilot heard

 News Continuous Bureau | Mumbai

UP Train Derailment : ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જ્યાં ચંદીગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. 20-25 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Community

UP Train Derailment : અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો

દરમિયાન આ ટ્રેન અકસ્માત પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા અનુસાર, તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. લોકો પાયલોટની માહિતી બાદ રેલવે પ્રશાસને અનેક એંગલથી તપાસ શરૂ કરી છે. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ પંકજ સિંહના જણાવ્યા અનુસાર સીઆરએસ (કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી) દ્વારા તપાસ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  : Wadettivar House Leak:વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારના સરકારી બંગલામાં લીકેજ; હોલમાં મુકવી પડી બાલટીઓ; જુઓ વિડીયો.

મહત્વનું છે કે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના રામપુર ગામ નજીક બપોરે 3 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી પાંચ બોગી પલટી મારી ગઈ હતી. રેલવે અને પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ મોકલવામાં આવ્યા છે. કોચમાંથી કાચ તોડી અનેક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

UP Train Derailment : દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ

આ અકસ્માત માનકાપુર-ગોંડા વચ્ચે ઝિલાહી સ્ટેશન પાસે થયો હતો. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ચલાવતા લોકો પાયલટે ખુલાસો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ઉત્તર પૂર્વ રેલવેના સીપીઆરઓ પંકજ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, રેલ્વે મંત્રાલયે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

UP Train Derailment : CRS તપાસનો આદેશ

સીપીઆરઓ પંકજ કુમાર સિંહે કહ્યું કે સીઆરએસ (રેલ્વે સુરક્ષા કમિશનર)ને ટ્રેન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પછી અકસ્માતનું કારણ જાણી શકાશે. જો કે, લોકો પાયલોટના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ પછી આ એક અકસ્માત હતો.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Major Blow to BJP in Bhiwandi: ભિવંડી મહાપાલિકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: ભાજપના બળવાખોર અને કોંગ્રેસની જુગલબંધી, નારાયણ ચૌધરીએ પલટી નાખ્યું આખું ગણિત.
Exit mobile version