Site icon

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતો ટેમ્પો અલકનંદા નદીમાં પડી ગયો, આટલા લોકોના મોત…

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં બદ્રીનાથ રૂટ પર શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો. આ સમયે બસમાંથી ચાર-પાંચ લોકો બહાર નીકળી ગયા. આ અકસ્માત બાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો. આ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે. આ બસમાં કુલ 18-20 મુસાફરો સવાર હતા.

Uttarakhand Bus Accident Passenger bus with 18 people onboard plunges into Alaknanda river; rescue ops on

Uttarakhand Bus Accident Passenger bus with 18 people onboard plunges into Alaknanda river; rescue ops on

News Continuous Bureau | Mumbai

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે એક મોટો અકસ્માત થયો છે. રુદ્રપ્રયાગના ઘોલાથીરમાં એક આખી બસ વહેતી અલકનંદા નદીમાં ખાબકી ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિનું મોત અને 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. SDRF ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

 

Uttarakhand Bus Accident: બસ નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ 

આ અકસ્માત બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ અને રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નંદીમાં પાણીનો પ્રવાહ પણ ઝડપી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ તેના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ છે.

Uttarakhand Bus Accident: બસમાં 18 લોકો હતા

પોલીસ મુખ્યાલયના પ્રવક્તા IG નિલેશ આનંદ ભરણેએ મીડિયાને  જણાવ્યું હતું કે રૂદ્રપ્રયાગ જિલ્લાના ઘોલાથીર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, બસમાં 18 લોકો સવાર હતા.

આ સમાચાર પણ વાંચો : Himachal Cloud Burst :હિમાચલમાં વાદળ ફાટવાથી ભારે તબાહી! અચાનક આવેલા પૂરમાં આટલા લોકોના મોત; 20 લોકો તણાયા…

Uttarakhand Bus Accident: ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ

પ્રાથમિક માહિતી અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન ત્રણ લોકો વાહનમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકો વાહન સાથે સીધા નદીમાં વહી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બસ ટેમ્પો ટ્રાવેલર્સની હતી. બધા મુસાફરો બદ્રીનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા. બસમાં કુલ 18 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ ઘટના સવારે 7:40 વાગ્યાની આસપાસ બની હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version