Site icon News Continuous Bureau | Mumbai

Uttrakhand: ધામી સરકારનું મોટુ પગલું, હવે ચાર ધામ યાત્રામાં મળશે વિશેષ આરોગ્ય સેવા, જાણો વિગતે..

Uttrakhand: ચાર ધામ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે આ તાલીમ યોજવામાં આવી રહી છે. ચારધામ યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય સેવા પુરી પાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Uttrakhand Big step of Dhami government, now special health service will be available in Char Dham Yatra, know details..

Uttrakhand Big step of Dhami government, now special health service will be available in Char Dham Yatra, know details..

News Continuous Bureau | Mumbai 

Uttrakhand: ઉત્તરાખંડની ધામી સરકાર અને વિશ ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ પર, ઉત્તરાખંડની ચારધામ યાત્રા ( Char Dham Yatra ) દરમિયાન આરોગ્ય સેવાઓ સુધારવા માટે એઈમ્સ સંસ્થાની ટ્રોમા અને ઈમરજન્સી મેડિસિન ટીમો દ્વારા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ હેઠળ રાજ્યના 150 તબીબી અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેથી હવે ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને ડોકટરો, નર્સિંગ પ્રોફેશનલ્સ, પેરામેડિકલ સ્ટાફ અને AIIMS ઋષિકેશના અન્ય તમામ આરોગ્ય કર્મચારીઓની તાલીમ ઉપરાંત સારી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

સંસ્થામાં ડોકટરો માટેની તાલીમ વર્કશોપના ઔપચારિક ઉદ્ઘાટન પ્રસંગે, AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસરે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર ધામ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને ( devotees ) ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે આ તાલીમ યોજવામાં આવી રહી છે. ચારધામ યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય સેવા પુરી પાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલીમનો ઉદ્દેશ્ય ચાર ધામ યાત્રા દરમિયાન ગંભીર રીતે બીમાર થતા યાત્રિકોના મૃત્યુદરને ઘટાડવાનો અને ચાર ધામ યાત્રાના રૂટ પર જ યાત્રાળુઓને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ ( Health services ) પૂરી પાડવાનો રહેશે.

  તાલીમ વર્કશોપની આ શ્રેણી આ મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી…

આ અંગે એઈમ્સના કોર્સ ડાયરેક્ટર અને ટ્રોમા સર્જને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષથી એઈમ્સ આ તાલીમમાં રાજ્ય સરકારને સહકાર આપી રહી છે. ગયા વર્ષના ડેટાનું મૂલ્યાંકન કર્યા બાદ આ વર્ષે વધુ સારી યોજના તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ નજીકના ભવિષ્યમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સાથે કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓની વધુ સારી ટીમ પણ બનાવવામાં આવશે. જેના માટે AIIMS ઋષિકેશની ( AIIMS Rishikesh )  ટ્રોમા ટીમ અને ઈમરજન્સી મેડિસિન ટીમ સંયુક્ત રીતે તાલીમ આપી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Bharat Ratna: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત રત્ન પ્રદાન કર્યા

નોંધનીય છે કે, તાલીમ વર્કશોપની આ શ્રેણી આ મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધી અનેક બેચના ડોક્ટરોએ તાલીમ લીધી છે. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના નાયબ નિયામક, ટ્રોમા વિભાગના વડા, એઈમ્સના નોડલ અધિકારી, ઈમરજન્સી મેડિસિન વિભાગના વડા વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Priti Historic Gold Medal Commonwealth Games કોમનવેલ્થ ગેમ્સ હવે ભારતની ‘પ્રીતિ’ બની ગોલ્ડન ગર્લ, દેશને અપાવ્યો છઠ્ઠો મેડલ, સર્જી અદભુત સિદ્ધિ
GST Collection July Record High જીએસટી કલેક્શનમાં બમ્પર ઉછાળો જુલાઈમાં ૧૫.૪ ટકાના વધારા સાથે રેકોર્ડ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન
EPFO Reliance Capital FIR રિલાયન્સ કેપિટલના કારણે EPFO ને ૧,૮૧૬ કરોડ રૂપિયાનું નુકસાન, CBI એ અનિલ અંબાણી અને કંપની સામે નોંધી FIR
Exit mobile version