Site icon

વંદે ભારત એક્સપ્રેસ પર વધુ એક વખત પથ્થરમારો, તૂટ્યા ટ્રેનની બારીના કાચ.. જાણો હવે ક્યાં બની ઘટના?

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. આ ઘટના ડાલકોલા સ્ટેશનની છે જ્યાં પથ્થરબાજોએ શુક્રવારે (20 જાન્યુઆરી)ના રોજ ન્યૂ હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવી હતી. ટ્રેન ડાલકોલા સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક C-6 કોચ પર પથ્થરમારો થયો હતો, જેના કારણે બારીઓના કાચ પર તિરાડો પડી ગઈ હતી.   

Stone pelting on Vande Bharat train will be heavy will be jailed for 5 years Railways warned

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવો પડશે ભારે, થઈ શકે છે આટલા વર્ષની જેલ.. રેલવેએ આપી ચેતવણી

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. આ ઘટના ડાલકોલા સ્ટેશનની છે જ્યાં પથ્થરબાજોએ શુક્રવારે (20 જાન્યુઆરી)ના રોજ ન્યૂ હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવી હતી. ટ્રેન ડાલકોલા સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક C-6 કોચ પર પથ્થરમારો થયો હતો, જેના કારણે બારીઓના કાચ પર તિરાડો પડી ગઈ હતી.   

Join Our WhatsApp Community

વંદે ભારત એક્સપ્રેસના મુસાફરોએ જણાવ્યું કે દાલખોલા પાસે એક જોરદાર અવાજ સંભળાયો જેણે બધાને ચોંકાવી દીધા. આ પછી ટ્રેનમાં હાજર આરપીએફ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. આરપીએફ અધિકારીઓએ આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.  

આ સમાચાર પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ

વંદે ભારત પર અગાઉ પણ પથ્થરમારો કરવામાં આવ્યો 

જોકે આ પહેલીવાર નથી જ્યારે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હોય. આ પહેલા 2 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના માલદામાં પહેલીવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો અને તેના એક દિવસ પછી 3 જાન્યુઆરીએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.  દેશની સાતમી અને પશ્ચિમ બંગાળની પ્રથમ વંદે ભારત ટ્રેન ગયા વર્ષે 30 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version