Site icon

ઉત્તર પ્રદેશમાં જળપ્રલય: PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગ્રામીણોએ સરકારને આપી આ ધમકી  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના અનેક ગામડાઓમાં પૂરના કારણે કહેર વર્તાયો છે. 

પૂરના કારણે શાકભાજીની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત વારાણસીના રમના ગામની સ્થિતિ એવી છે કે, ત્યાંના અડધાંથી વધારે ગામડાં જળમગ્ન થઈ ચુક્યા છે. 

ગ્રામ પ્રધાનની આગેવાનીમાં ગ્રામીણોએ તટબંધ ન બનવાની સ્થિતિમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચેતવણી આપી છે. 

આશરે 40 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં 15 હજાર મતદારો છે. ગામની 70 ટકા વસ્તી શાકભાજીની ખેતી પર નિર્ભર છે. ગંગામાં પૂર આવવાના કારણે અડધાંથી વધારે ખેતરો ડૂબી ચુક્યા છે. 

ઉલ્લેખનીય  છે કે આશરે 40 હજાર કરતા પણ વધારે લોકોની વસ્તી દર વર્ષે પૂરની વિભીષિકામાં આ મુશ્કેલીનો સામનો કરે છે. 

મુંબઈની ફિલ્મ સિટીમાં દિલ ધડક ગાડી નું સ્ટંટ કરવા જતા થયો અકસ્માત, વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.. જુઓ વિડિયો..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version