Site icon News Continuous Bureau | Mumbai

 રાજનૈતિક આશ્ચર્ય.. ભાજપના આ નેતાએ ઓવૈસીને બિરદાવ્યા. જાણો શું છે સમગ્ર મામલો.. 

News Continuous Bureau | Mumbai 

દેશમાં બેરોજગારી(Unemployment) અને મોંઘવારી(Inflation) સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ત્યારે બીજી તરફ બીજેપી સાંસદ વરુણ ગાંધીBJP MP Varun Gandhi) મોદી સરકાર(Modi Govt)ને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. યુવા, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાઓ પર વરુણ ગાંધી પાર્ટી લાઇનની બહાર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન – AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ના વખાણ કર્યા છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ એક સભાને સંબોધિત કરતી વખતે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ ખાલી પડેલી સરકારી જગ્યાઓનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'આ આંકડા બીજા કોઈએ નહીં પણ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી(BJP MP Varrun gandhi)એ શેર કર્યા છે. ઓવૈસીના આ નિવેદનનો વીડિયો શેર કરીને વરુણ ગાંધીએ તેમનો આભાર માન્યો છે.

 

ઓવૈસીના આ નિવેદનને શેર કરતા વરુણ ગાંધીએ કહ્યું, 'બેરોજગારી આજે દેશનો સૌથી જ્વલંત મુદ્દો છે અને આખા દેશના નેતાઓએ આ મુદ્દે સરકાર(Govt)નું ધ્યાન દોરવું જોઈએ. બેરોજગાર યુવાનોને ન્યાય મળવો જોઈએ, તો જ દેશ શક્તિશાળી બનશે. હું આભારી છું કે રોજગાર(employment) પર ઉઠાવવામાં આવેલા મારા પ્રશ્નોનો ઓવૈસીજીએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

તમને જણાવી દઈએ કે, આ પહેલા વરુણ ગાંધીએ સરકારના વિવિધ વિભાગોનો ઉલ્લેખ કરીને ડેટા શેર કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'જ્યારે બેરોજગારી(Unemployment) 3 દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, ત્યારે આ આંકડા ચોંકાવનારા (Job Deta)છે. ભરતીઓ ન મળવાને કારણે કરોડો યુવાનો નિરાશ છે, જ્યારે 'સરકારી આંકડાઓ'નું માનીએ તો દેશમાં 60 લાખ 'મંજૂર પોસ્ટ' ખાલી છે. આ જગ્યાઓ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે ક્યાં ગયું? આ જાણવાનો દરેક યુવકનો અધિકાર છે!' 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version