Site icon News Continuous Bureau | Mumbai

 રાજનૈતિક આશ્ચર્ય.. ભાજપના આ નેતાએ ઓવૈસીને બિરદાવ્યા. જાણો શું છે સમગ્ર મામલો.. 

News Continuous Bureau | Mumbai 

દેશમાં બેરોજગારી(Unemployment) અને મોંઘવારી(Inflation) સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ત્યારે બીજી તરફ બીજેપી સાંસદ વરુણ ગાંધીBJP MP Varun Gandhi) મોદી સરકાર(Modi Govt)ને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. યુવા, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાઓ પર વરુણ ગાંધી પાર્ટી લાઇનની બહાર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન – AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ના વખાણ કર્યા છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ એક સભાને સંબોધિત કરતી વખતે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ ખાલી પડેલી સરકારી જગ્યાઓનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'આ આંકડા બીજા કોઈએ નહીં પણ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી(BJP MP Varrun gandhi)એ શેર કર્યા છે. ઓવૈસીના આ નિવેદનનો વીડિયો શેર કરીને વરુણ ગાંધીએ તેમનો આભાર માન્યો છે.

 

ઓવૈસીના આ નિવેદનને શેર કરતા વરુણ ગાંધીએ કહ્યું, 'બેરોજગારી આજે દેશનો સૌથી જ્વલંત મુદ્દો છે અને આખા દેશના નેતાઓએ આ મુદ્દે સરકાર(Govt)નું ધ્યાન દોરવું જોઈએ. બેરોજગાર યુવાનોને ન્યાય મળવો જોઈએ, તો જ દેશ શક્તિશાળી બનશે. હું આભારી છું કે રોજગાર(employment) પર ઉઠાવવામાં આવેલા મારા પ્રશ્નોનો ઓવૈસીજીએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

તમને જણાવી દઈએ કે, આ પહેલા વરુણ ગાંધીએ સરકારના વિવિધ વિભાગોનો ઉલ્લેખ કરીને ડેટા શેર કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'જ્યારે બેરોજગારી(Unemployment) 3 દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, ત્યારે આ આંકડા ચોંકાવનારા (Job Deta)છે. ભરતીઓ ન મળવાને કારણે કરોડો યુવાનો નિરાશ છે, જ્યારે 'સરકારી આંકડાઓ'નું માનીએ તો દેશમાં 60 લાખ 'મંજૂર પોસ્ટ' ખાલી છે. આ જગ્યાઓ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે ક્યાં ગયું? આ જાણવાનો દરેક યુવકનો અધિકાર છે!' 

Supreme Court Hearing Shiv Sena Symbol શિવસેના નામ અને પ્રતીક વિવાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ અંતિમ તબક્કામાં, કોના ફાળે જશે અસલી શિવસેના?
Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Exit mobile version