Site icon News Continuous Bureau | Mumbai

જેલમાં બંધ એનસીપીના નેતા નવાબ મલીકની મુશ્કેલીમાં વધારો, વાશિમ કોર્ટે આ ગુનો દાખલ કરવાનો આપ્યો આદેશ

News Continuous Bureau | Mumbai

એનસીપી (NCP) ના નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક (Nawab Malik) હાલમાં મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે. દરમિયાન તેમની  મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ વાશિમ કોર્ટે (Washim Court) પોલીસને નવાબ મલિક સામે એટ્રોસિટીનો કેસ (A case of atrocity) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની મુંબઈ શાખાના ભૂતપૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીની તપાસ કરવા વાશિમ પોલીસને નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો: આજે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક-તુલા સહિત આ 4 રાશિઓને થશે લાભ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં કથિત મની લોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે સમીર વાનખેડે મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર હતા. ત્યારે તેમણે ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. નવાબ મલિકે આ મામલે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Supreme Court Food Labelling તમે જે પેકેજ્ડ ફૂડ ખાઓ છો તેમાં શું છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ લેબલિંગ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Exit mobile version