Site icon News Continuous Bureau | Mumbai

સંકષ્ટી ચતુર્થી પર પૂણેના દગડુશેઠ ગણપતિ મંદિરમાં કરાયો કાળી-લીલી દ્રાક્ષનો શણગાર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી, જુઓ વીડિયો..

Watch: 2000 kg grapes used to decorate Pune's Shrimant Dagdusheth Halwai Ganpati Mandir

સંકષ્ટી ચતુર્થી પર પૂણેના દગડુશેઠ ગણપતિ મંદિરમાં કરાયો કાળી-લીલી દ્રાક્ષનો શણગાર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી, જુઓ વીડિયો..

News Continuous Bureau | Mumbai

ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે ઉજવવામાં આવે છે. આજે એટલે કે 11 માર્ચ, 2023 ના રોજ ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. શ્રીમંત દગડુ શેઠ હલવાઇ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ દ્વારા સંકષ્ટી ચતુર્થી નિમિત્તે મંદિરમાં દ્રાક્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ગર્ભાગાર અને સભા હોલમાં કાળી અને લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે ભક્તો આ પ્રખ્યાત ગણપતિ મંદિરે બાપ્પાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. એવી માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.

મહત્વનું છે કે આ માટે 2 હજાર કિલો દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં આ દ્રાક્ષ ભક્તો, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલને પ્રસાદ તરીકે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દ્રાક્ષની સિઝન દરમિયાન મંદિરમાં આ પ્રકારના શણગારનું સતત બીજું વર્ષ છે.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાને લાગ્યો પુતિનનો ડર! કહ્યું- આ દેશમાં સરકારને તોડવાની કોશિશ કરી રહ્યું છે રશિયા

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version