News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ(CM Mamta Banerjee) કેબિનેટમાં(Cabinet) મોટો ફેરફાર કર્યા છે. તેમણે ભાજપમાંથી(BJP) ટીએમસીમાં(TMC) આવેલા બાબુલ સુપ્રિયો(Babul Supriyo) સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી(Snehasis Chakraborty), પાર્થ ભૌમિક(Partha Bhowmick), ઉદયન ગુહા(Udayan Guha), પ્રદીપ મજૂમદાર(Pradeep Majumdar), તાજમુલ હુસૈન(Tajmul Hussain) અને સત્યજીત બર્મનને(Satyajit Burman) રાજ્યપાલે(Governor) કેબિનેટ મંત્રી(Cabinet Minister) તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા(Tribal leader Birbaha Hasanda) અને બિપ્લબ રોય ચૌધરીએ(Biplab Roy Chaudhary) રાજ્યમંત્રીઓ(State Ministers) (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના રસ્તાઓ પર સંગ્રામ-રાહુલ ગાંધી સાથે પ્રિયંકાની પણ થઇ અટકાયત- જાણો શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે મંત્રીમંડળમાં આ ફેરફાર એવા સમયે થયા છે જ્યારે સ્કૂલ નોકરી કૌભાંડમાં(school job scam) એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ(Enforcement Directorate) દ્વારા પાર્થ ચેટર્જીને(Partha Chatterjee) ધપરકડને લઈને વિપક્ષના નિશાના પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ મંત્રી(Cabinet Minister) પાર્થ ચેટર્જીને પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, સંસદીય કાર્ય (Industry, commerce, parliamentary work) સહિત પાંચ મહત્વના વિભાગોના પ્રભારી હતા.
