Site icon News Continuous Bureau | Mumbai

Eknath Shinde: એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન ‘ધુરંધર’ના ‘રહેમાન ડકૈત’ સાથે કરી તુલના, રાજકારણમાં મોટો ખળભળાટ!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિયાળુ સત્ર દરમિયાન શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા. શિંદેએ ઉદ્ધવ ઠાકરે તરફ ઇશારો કરતા સદનમાં સવાલ કર્યો કે મુંબઈનો ખજાનો લૂંટનાર 'રહેમાન ડકૈત' કોણ છે? તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી મ્યુનિસિપલ ચૂંટણીમાં 'મહાયુતિ' 'રહેમાન ડકૈત'ને હરાવીને અસલી 'ધુરંધર' બનશે

Eknath Shinde એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન 'ધુરંધર'ના 'રહેમાન ડકૈત' સાથે

Eknath Shinde એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન 'ધુરંધર'ના 'રહેમાન ડકૈત' સાથે

News Continuous Bureau | Mumbai
Eknath Shinde મહારાષ્ટ્ર શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયામાં એક પ્રસ્તાવ પર જવાબ આપતી વખતે ઉપ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે પર આકરો પ્રહાર કર્યો. તેમણે સદનમાં સવાલ કર્યો કે મુંબઈનો ખજાનો લૂંટનાર ‘રહેમાન ડકૈત’ કોણ છે? તેમનો ઇશારો ઉદ્ધવ ઠાકરે તરફ હતો. જણાવી દઈએ કે ‘રહેમાન ડકૈત’ એ ‘ધુરંધર’ ફિલ્મનો વિલન છે, જેનું પાત્ર અક્ષય ખન્નાએ ભજવ્યું છે. ‘ધુરંધર’ એટલે કે રણવીર સિંહ મૂવીમાં ‘રહેમાન ડાકુ’ને હરાવી દે છે.

મહાયુતિ’ બનશે અસલી ‘ધુરંધર’

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ દાવો કર્યો કે આવનારી મ્યુનિસિપલ ચૂંટણીમાં મહાયુતિ વિપક્ષને ‘રહેમાન ડકૈત’ ની જેમ દાટીને અસલી ‘ધુરંધર’ સાબિત થશે. ઉદ્ધવ ઠાકરે જૂથ પર પ્રહાર કરતાં શિંદેએ કહ્યું કે “અમે વિકાસના કામો અને કલ્યાણની યોજનાઓનો ધમાકો ચાલુ રાખ્યો છે, જ્યારે વિપક્ષ પાસે બિનજરૂરી આરોપો લગાવવા સિવાય કોઈ કામ બચ્યું નથી.” તેમણે વધુમાં વિપક્ષની ટીકા કરતાં જણાવ્યું કે “તેઓ (ઉદ્ધવ જૂથ) માત્ર ફરવા માટે નાગપુર આવે છે, તેમની હાલત આજે આવવું અને કાલે જવું જેવી છે.” તેમણે ઉમેર્યું કે વિપક્ષે વિધાનસભા સત્રમાં એક પણ સવાલ પૂછ્યો નહીં કે એક પણ મુદ્દા પર બોલ્યા નહીં, જેનાથી ખબર પડે છે કે તેઓ લોકોના મુદ્દાઓ પ્રત્યે કેટલા જાગૃત છે.

Join Our WhatsApp Channel

ઉપ મુખ્યમંત્રીના પદ પર પણ નિશાન

ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા એકનાથ શિંદેએ કહ્યું, “તેમણે મીડિયામાં એવી માંગ કરીને ખૂબ હોબાળો કર્યો કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ખતમ કરી દેવામાં આવે. જોકે, તેઓ પોતે જ ભૂલી ગયા કે જ્યારે તેમણે સીએમ પદના શપથ લીધા હતા ત્યારે પોતાની કેબિનેટમાં પણ ઉપ મુખ્યમંત્રીનું પદ રાખ્યું હતું.” શિંદેએ કહ્યું કે આ આરોપો મારા પ્રત્યેની બેચેની અને ચિડ ના કારણે લગાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: BJP: ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં BJP એ તમિલનાડુ અને આસામ માટેના મુખ્ય ચૂંટણી પ્રભારીઓના નામ જાહેર કર્યા, જુઓ લિસ્ટ

મુંબઈ માટે શિંદે સરકારે શું કર્યું?

ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, “અમે મુંબઈકરો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે.”મુંબઈમાં ૨૦ હજાર નોન-OC બિલ્ડિંગ્સને રાહત આપી છે.મુંબઈને પાઘડી-મુક્ત બનાવવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ૧૩,૦૦૦ બિલ્ડિંગ્સના રીડેવલપમેન્ટનો માર્ગ સાફ થયો છે.નેશનલ પાર્કના ૨૫,૦૦૦ કર્મચારીઓને ૫ કિમીના દાયરામાં બીજા ઘર આપવાનો પ્લાન લાવવામાં આવ્યો છે.મિલ રીડેવલપમેન્ટના નિયમો બદલ્યા અને ૫૦ એકરથી મોટા પ્લોટ પર ક્લસ્ટર રીડેવલપમેન્ટ સ્કીમ નક્કી કરવામાં આવી છે.તેમણે કહ્યું કે અમે હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ના ૪૦ લાખ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘર આપવાના સપનાને પૂર્ણ કરી રહ્યા છીએ. ૨૩ જાન્યુઆરીથી શરૂ થતા બાળાસાહેબના જન્મ શતાબ્દી વર્ષના અવસરે આ સ્કીમ શરૂ કરીને અમે તેમના ચરણોમાં ફૂલ ચઢાવ્યા છે.

Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Exit mobile version