Site icon News Continuous Bureau | Mumbai

આને શું કહેશો? કોઇમ્બતુરના મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી; મંત્રો પણ બનાવી લીધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો હેતુ એ છે કે કોરોના વાયરસથી લોકોનું રક્ષણ થાય. આ સંદર્ભે મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીયએ મીડિયાને જણાવ્યું હતું કે કોઇમ્બતુરમાં કોરોનાના કેસ વધવાને કારણે પૂજારીઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. હવે આ મંદિરમાં સતત પ્રાર્થના કરવામાં આવશે કે કોરોનાદેવી લોકોને રક્ષણ આપે. 'કોરોનાદેવી દયા કરો.' આ મંત્રનો જાપ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1900માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ પ્લેગ મરિયમ્માના મંદિરમાં પ્રાર્થના કરી હતી.

Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Uddhav Thackeray। મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી
Pune Gas Leak। પુણેમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, લોકોએ ઘરની બહાર વિતાવી રાત
Exit mobile version