Site icon News Continuous Bureau | Mumbai

Jagannath Mandir Ratna Bhandar: જગન્નાથ મંદિરના રત્ન ભંડારના અંદરના ભાગનું રહસ્ય શું છે? ASIએ સાત કલાક અંદર વિતાવ્યા બાદ હવે આ રહસ્ય ખોલ્યું.. જાણો વિગતે..

Jagannath Mandir Ratna Bhandar: ઘણા સ્થાનિક લોકોનું માનવું છે કે મંદિરના રત્ન ભંડારના અંદરના ચેમ્બરમાં એક ગુપ્ત ગુફા આવેલ છે. આ અંગે દિવ્ય સિંહ દેબે કહ્યું કે ASI અનામતની સ્થિતિ જાણવા માટે લેજર સ્કેનિંગ જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકે છે. આવી ટેક્નોલોજી વડે ટનલ જેવા હાલના કોઈપણ માળખા વિશે માહિતી મેળવી શકાય છે.

What is the secret inside the Jagannath Mandira Ratna Bhandar After spending seven hours inside, the team has now solved this mystery...

What is the secret inside the Jagannath Mandira Ratna Bhandar After spending seven hours inside, the team has now solved this mystery...

News Continuous Bureau | Mumbai

Jagannath Mandir Ratna Bhandar: ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના ( Jagannath Mandir ) રત્ન ભંડારની અંદરની ચેમ્બરમાં સુરંગ અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, ગજપતિ મહારાજ દિવ્ય સિંહ દેબે સૂચન કર્યું હતું કે, પુરાતત્વ વિભાગ ( ASI ) તેની તપાસ માટે આધુનિક તકનીકનો ઉપયોગ કરી શકે છે. દેબે આ વાતો રત્ના ભંડારની અંદરની ચેમ્બરમાં સુરંગ અથવા ગુપ્ત ચેમ્બરની સંભાવના પર આ વાત કહી હતી.

Join Our WhatsApp Channel

એજન્સીના જણાવ્યા અનુસાર, ઘણા સ્થાનિક લોકોનું માનવું છે કે મંદિરના રત્ન ભંડારના ( Ratna Bhandar ) અંદરના ચેમ્બરમાં એક ગુપ્ત ગુફા આવેલ છે. આ અંગે દિવ્ય સિંહ દેબે કહ્યું કે ASI અનામતની સ્થિતિ જાણવા માટે લેજર સ્કેનિંગ જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકે છે. આવી ટેક્નોલોજી વડે ટનલ જેવા હાલના કોઈપણ માળખા વિશે માહિતી મેળવી શકાય છે.

Jagannath Mandir Ratna Bhandar: રત્ન ભંડારની અંદર ગુફાનો કોઈ પુરાવો મળ્યો ન હતો…

જો કે, સુપરવાઇઝરી કમિટીના અધ્યક્ષ અને ઓરિસ્સા હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથ રથે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યારે અમે રત્ન ભંડારની અંદરની ચેમ્બરમાં ( Ratna Bhandar Chamber ) ગયા અને તેનું નિરીક્ષણ કર્યું. ત્યારે અમને ગુફાનો કોઈ પુરાવો મળ્યો ન હતો. વિશ્વનાથ રથે લોકોને આ વિષય પર ખોટી માહિતી શેર કરવાનું ટાળવા વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથ રથ અન્ય દસ સભ્યો સાથે સાત કલાકથી વધુ સમય સુધી રત્ન ભંડારના અંદરના રૂમમાં રોકાયા હતા. સમિતિના અન્ય સભ્ય અને સેવાદારે આ  અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રત્ન ભંડારમાં ( Jagannath Mandir Ratna Bhandar ASI ) કોઈ ગુપ્ત ચેમ્બર કે ગુફા જોઈ નથી. રત્ના ભંડાર અંદાજે 20 ફૂટ ઊંચો અને 14 ફૂટ લાંબો છે. તેમણે નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી કેટલીક નાની સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  :  Indian Railways: ભારતીય રેલવે ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ

Jagannath Mandir Ratna Bhandar: પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર રત્ન ભંડાર બીજી વખત ફરીથી ખોલવામાં આવ્યો હતો…

ગુરુવાર, 18 જુલાઈના રોજ, પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર રત્ન ભંડાર બીજી વખત ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ અને ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથ રથ અને અન્ય અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા. કિંમતી સામાનને અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવા માટે એક સપ્તાહમાં બીજી વખત રત્ન ભંડારને ખોલવામાં આવ્યો હતો.

પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરના પ્રતિષ્ઠિત તિજોરી રત્ના ભંડારના આંતરિક ચેમ્બરમાંથી કિંમતી વસ્તુઓ અને ઝવેરાત ગુરુવારે સાત કલાકમાં ખસેડવામાં આવ્યા હતા. આ કિંમતી સામાનને હાલ અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેમાં લાકડાના અને સ્ટીલના કબાટ અને સદુંક સહિત સાત કન્ટેનરનો સમાવેશ થાય છે.  અંદરના રૂમ અને અસ્થાયી સ્ટ્રોંગ રૂમ બંનેને બંધ કરીને સીલ કરવામાં આવ્યા છે.

 Jagannath Mandir Ratna Bhandar: રત્ન ભંડારાની અંદરની રુમમાં અંદર સાત કન્ટેનરમાં ઘરેણાં અને કીમતી વસ્તુઓ રાખવામાં આવી હતી…

રત્ન ભંડારાની અંદરની રુમમાં અંદર સાત કન્ટેનરમાં ઘરેણાં અને કીમતી વસ્તુઓ રાખવામાં આવી હતી, જેમાં લાકડાના ત્રણ અલમારીઓ, બે લાકડાના બોક્સ અને સ્ટીલની અલમારી તથા લોખંડની પેટી હતી. તમામ કિંમતી સામાન નવા કન્ટેનરમાં રાખવામાં આવ્યો હતો અને સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યો હતો. આ બાદ પુરી કલેકટરને ચાવીઓ સોંપવામાં આવી છે. તિજોરીમાં ચાવીઓ રાખવામાં આવશે.

રત્ન ભંડારનું હાલ સમારકામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવશે. સમારકામ પૂર્ણ થયા બાદ જ જ્વેલરી અને અન્ય કીમતી ચીજોની યાદી તૈયાર કરવામાં આવશે. રત્ન ભંડારની બહારની ચેમ્બરમાંથી કિંમતી સામાન ખસેડ્યા બાદ તેને સાફ કરવામાં આવ્યો છે. અંદરની ચેમ્બર 46 વર્ષ પછી ખોલવામાં આવી હોવાથી તેનું સમારકામ કરવામાં આવનાર છે. 

આ સમાચાર પણ વાંચો  :  Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Maharashtra Hindi Exam Stayed। મહારાષ્ટ્રમાં ‘મરાઠી અસ્મિતા’નો મુદ્દો ગરમાયો! રાજ ઠાકરેની ધમકી બાદ સરકારે હિન્દી પરીક્ષાનો આદેશ પાછો ખેંચ્યો
Exit mobile version