Site icon

આ શું? ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે; હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ભારતમાં કોરોનાની આપદા સાથે હવે વધુ એક વિપત્તિ આવી પડી છે. તાઉતે વાવાઝોડા બાદ હવે ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે. કોલકાતાના હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સુપર સાઇક્લોન ૨૩થી ૨૫ મે દરમિયાન સુંદરવન વિસ્તારમાં આવી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યશ નામ આપવામાં આવ્યું છે.

આ વાવાઝોડાની તીવ્રતા ગયા વર્ષે આવેલા અમ્ફાન વાવાઝોડા જેટલી હોય એવી શક્યતા છે. જોકેકોલકાતાનું હવામાન વિભાગ વાવાઝોડાની દિશા અને ગતિ વિશે ચોક્કસ નથી. તેમણે માહિતી આપી છે કે ૨૩ મેની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછું દબાણવાળું ક્ષેત્ર બનવાની સંભાવના છે. સુંદરવનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ આગળ વધી જાય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ભારતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમ્ફાન, નિસર્ગ, મહા અને વાયુ જેવા તોફાની સંકટ આવ્યાં હતાં. જેણે કારણે દેશનાં અનેક રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version