Site icon

આ શું? ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે; હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ભારતમાં કોરોનાની આપદા સાથે હવે વધુ એક વિપત્તિ આવી પડી છે. તાઉતે વાવાઝોડા બાદ હવે ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે. કોલકાતાના હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સુપર સાઇક્લોન ૨૩થી ૨૫ મે દરમિયાન સુંદરવન વિસ્તારમાં આવી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યશ નામ આપવામાં આવ્યું છે.

આ વાવાઝોડાની તીવ્રતા ગયા વર્ષે આવેલા અમ્ફાન વાવાઝોડા જેટલી હોય એવી શક્યતા છે. જોકેકોલકાતાનું હવામાન વિભાગ વાવાઝોડાની દિશા અને ગતિ વિશે ચોક્કસ નથી. તેમણે માહિતી આપી છે કે ૨૩ મેની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછું દબાણવાળું ક્ષેત્ર બનવાની સંભાવના છે. સુંદરવનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ આગળ વધી જાય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ભારતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમ્ફાન, નિસર્ગ, મહા અને વાયુ જેવા તોફાની સંકટ આવ્યાં હતાં. જેણે કારણે દેશનાં અનેક રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version