Site icon News Continuous Bureau | Mumbai

આ શું? ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે; હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતમાં કોરોનાની આપદા સાથે હવે વધુ એક વિપત્તિ આવી પડી છે. તાઉતે વાવાઝોડા બાદ હવે ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે. કોલકાતાના હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સુપર સાઇક્લોન ૨૩થી ૨૫ મે દરમિયાન સુંદરવન વિસ્તારમાં આવી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યશ નામ આપવામાં આવ્યું છે.

આ વાવાઝોડાની તીવ્રતા ગયા વર્ષે આવેલા અમ્ફાન વાવાઝોડા જેટલી હોય એવી શક્યતા છે. જોકેકોલકાતાનું હવામાન વિભાગ વાવાઝોડાની દિશા અને ગતિ વિશે ચોક્કસ નથી. તેમણે માહિતી આપી છે કે ૨૩ મેની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછું દબાણવાળું ક્ષેત્ર બનવાની સંભાવના છે. સુંદરવનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ આગળ વધી જાય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ભારતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમ્ફાન, નિસર્ગ, મહા અને વાયુ જેવા તોફાની સંકટ આવ્યાં હતાં. જેણે કારણે દેશનાં અનેક રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું.

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version