Site icon News Continuous Bureau | Mumbai

શાળાઓ બંધ અને સમારકામ પાછળ ૨૦૦ કરોડનો ખર્ચ. મહારાષ્ટ્ર સરકારનો ગજબ કારભાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 ગત વર્ષે માર્ચમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઑનલાઇન શાળાઓ ચાલી રહી છે. એ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવાથી ત્યાંનાં બાળકો સામે ઑનલાઇન શિક્ષણ બાબતે ઘણી અડચણો આવી રહી છે. લાખો ગ્રામીણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે. એવામાં તેમના માટે સાધનોની વ્યવસ્થા કરવાને બદલે શાળાકીય શિક્ષણ વિભાગે શાળાઓના સમારકામ માટે ૨૦૦ કરોડ ખર્ચવાની મંજૂરી આપી છે.

      મરાઠવાડામાં ૭૧૮ શાળાઓના ૧,૬૨૩ વર્ગના પુન:બાંધકામ થશે તેમ જ ૧,૦૫૦ શાળાઓનું સમારકામ કરવામાં આવશે. રાજમાતા જીજાબાઈ શૈક્ષણિક ગુણવત્તા વિકાસ અભિયાન હેઠળ આ કામ થશે. 

ગણેશોત્સવ શરૂ થઈ ગયો છતાં આટલા મંડપો હજી પાલિકાની પરવાનગી મળે એની રાહ જોઈ રહ્યા છે

સવાલ એ છે કે જે શાળાઓ અડચણમાં છે તેમને વેતન ઇતર અનુદાન આપવું જરૂરી છે. જે શાળાકીય શિક્ષણ વિભાગના સીએસઆરના ફંડમાંથી લાખો બાળકોના ઑનલાઇન શિક્ષણ માટે સાધનો ઉપલબ્ધ કરી શકાય છે, પરંતુ એ બધું ન કરતાં ફક્ત કૉન્ટ્રૅક્ટરનું ભલું કરવા માટે શાળાના સમારકામની યોજના બની રહી હોવાનો આરોપ શિક્ષક એમએલએ નાગો ગાણારે કર્યો છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version