Site icon

એક માણસ ને કાપી ને લટકાવ્યા પછી ખેડુત આંદોલન માં ફૂટ. નિહંગ સાધુઓ આંદોલન માં હોવા જોઈએ કે નહીં. હવે થશે નિર્ણય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સિંધુ બોર્ડર પર પંજાબના લખબીર નામના યુવકની ક્રૂરતાપૂર્વક હાથપગ કાપીને કરાયેલી હત્યા બાદ નિહંગોને ખેડૂત આંદોલનના મોરચા પાસેથી હટાવવાની માગણી થઈ રહી છે. એ માટે મહત્ત્વની મિટિંગ પણ લેવામાં આવવાની છે. 27 ઑક્ટોબરના નિહંગ જૂથે સિંધુ બોર્ડર પર ધાર્મિક એકત્રતા એટલે એક મિટિંગ રાખી છે. એમાં નિહંગોએ સિંધુ બોર્ડર પર રહેવું કે પછી ત્યાંથી ચાલ્યા જવું એ બાબતે નિર્ણય લેવાશે.

સિંધુ બોર્ડર પર બેઠેલા નિહંગ જૂથના પ્રમુખોમાંના એક નિહંગ રાજારામ સિંહના કહેવા મુજબ 27 ઑક્ટોબરના થનારી બેઠકમાં સંત સમાજના તમામ લોકો અને બુદ્ધિજીવો અને સંતો હાજર હશે. આ દરમિયાન સંયુક્ત રૂપે ચર્ચા કરીને જે નિર્ણય લેવાશે તેને નિહંગો માન્ય કરશે.

ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોને ભારતીય સેના આપશે જડબાતોડ ટક્કર, સેના આ હથિયારોથી થઈ સજ્જ; જુઓ વિડિયો અને જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે 15 ઑક્ટોબરના દશેરાના સવારના સિંધુ બોર્ડર પર ખેડૂતોનું જ્યાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં તરનતારના લખબીર સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. તેણે શ્રી ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું હોવાથી તેની હત્યા કરી દેવામાં આવી હોવાની એક નિહંગે કબૂલાત કરી હતી.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version