Site icon News Continuous Bureau | Mumbai

એક માણસ ને કાપી ને લટકાવ્યા પછી ખેડુત આંદોલન માં ફૂટ. નિહંગ સાધુઓ આંદોલન માં હોવા જોઈએ કે નહીં. હવે થશે નિર્ણય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સિંધુ બોર્ડર પર પંજાબના લખબીર નામના યુવકની ક્રૂરતાપૂર્વક હાથપગ કાપીને કરાયેલી હત્યા બાદ નિહંગોને ખેડૂત આંદોલનના મોરચા પાસેથી હટાવવાની માગણી થઈ રહી છે. એ માટે મહત્ત્વની મિટિંગ પણ લેવામાં આવવાની છે. 27 ઑક્ટોબરના નિહંગ જૂથે સિંધુ બોર્ડર પર ધાર્મિક એકત્રતા એટલે એક મિટિંગ રાખી છે. એમાં નિહંગોએ સિંધુ બોર્ડર પર રહેવું કે પછી ત્યાંથી ચાલ્યા જવું એ બાબતે નિર્ણય લેવાશે.

સિંધુ બોર્ડર પર બેઠેલા નિહંગ જૂથના પ્રમુખોમાંના એક નિહંગ રાજારામ સિંહના કહેવા મુજબ 27 ઑક્ટોબરના થનારી બેઠકમાં સંત સમાજના તમામ લોકો અને બુદ્ધિજીવો અને સંતો હાજર હશે. આ દરમિયાન સંયુક્ત રૂપે ચર્ચા કરીને જે નિર્ણય લેવાશે તેને નિહંગો માન્ય કરશે.

ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોને ભારતીય સેના આપશે જડબાતોડ ટક્કર, સેના આ હથિયારોથી થઈ સજ્જ; જુઓ વિડિયો અને જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે 15 ઑક્ટોબરના દશેરાના સવારના સિંધુ બોર્ડર પર ખેડૂતોનું જ્યાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં તરનતારના લખબીર સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. તેણે શ્રી ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું હોવાથી તેની હત્યા કરી દેવામાં આવી હોવાની એક નિહંગે કબૂલાત કરી હતી.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version