Site icon News Continuous Bureau | Mumbai

સનસની ખબર: ઇગતપુરી-કસારા સ્ટેશન વચ્ચે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારૃઓએ મચાવી લૂંટ, એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 
શનિવાર. 

મહારાષ્ટ્રમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. અને આ ઘટનાના આંકડામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આજે બની છે. લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. જાણવા મળ્યું છે કે આ ભયાનક ઘટના ઇગતપુરી અને કસારા સ્ટેશન વચ્ચે બની હતી.

Join Our WhatsApp Channel

રેલવે પોલીસે આ કેસમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લૂંટારાઓએ શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસના મુસાફરોને લૂંટી લીધા હતા. 15 થી 20 મુસાફરો લૂંટાયા હતા. આ સાથે જ તેણે ટ્રેનમાં બેઠેલી 20 વર્ષની યુવતી પર અત્યાચાર કર્યો હતો.

આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને લૂંટારાઓની શોધ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને સઘન તપાસ હાથ ધરી છે.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

પોલીસના એક મીડિયાહાઉસને જણાવ્યા અનુસાર ટ્રેન ઇગતપુરી સ્ટેશનથી નીકળી હતી અને ટ્રેન ટનલ પાસે ધીમી હતી. આ વખતે સાત કે આઠ લોકો ટ્રેનમાં ચઢ્યા. ચોરોએ 15 થી 20 મુસાફરોને લૂંટી લીધા હતા અને તેમની પાસેથી પૈસા અને મોબાઇલ ફોન છીનવી લીધા હતા. તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. દરમિયાન, ચોરો દ્વારા એક મહિલાની છેડતી પણ કરવામાં આવી હતી. જ્યારે 20 વર્ષની યુવતીને તે જ સમયે ત્રાસ આપવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને રેલવેમાં આવી ઘટનાઓ બની હોવાથી મુસાફરોમાં ભયનું વાતાવરણ છે.

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version