Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના માથે તોળાતું કોરોના સંકટ, ઠાકરે સરકારે પંચાવન વર્ષથી ઉપરના પોલીસ માટે લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કોરોનાની વકરતી પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર સરકારે પોલીસ ખાતામાં પંચાવન વર્ષથી ઉપરના પોલીસ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો છે.

મુંબઈમાં કોરોનાનો ચેપ રોકેટ ગતીએ વધી રહ્યો છે, તેમાં મુંબઈ પોલીસમાં પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, મુંબઈમાં 24 કલાક દરમિયાન 71 પોલીસને કોરોનાનો ચેપ લાગ્યો છે, ત્યારે રાજયના ચીફ સેક્રેટરીએ પોલીસમાં ચિંતાજનક રીતે કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે, તેથી પોલીસ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે પંચાવન વર્ષથી ઉપરના પોલીસ કર્મચારી-અધિકારીઓને તાત્કાલિક ધોરણે વર્ક ફ્રોમનો આદેશ આપી દીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન મોટી ઉમરના પોલીસ કર્મચારીને વર્ક ફ્રોમનો આદેશ આપ્યો હતો.

સફાળી જાગી ગુજરાત સરકાર, રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિત આ કાર્યક્રમો કર્યા રદ; જાણો વિગતે

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version