Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને આ જગ્યાએ વસાવશે યોગી સરકાર, ઘર સહિત મળશે આ સુવિધાઓ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

યુપી સરકારે પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોના પુનર્વસનની દિશામાં ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કાનપુરના રસુલાબાદ ગ્રામીણ વિસ્તારના ભેસાયા ગામના મહેન્દ્ર નગરમાં સ્થાયી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય આ પરિવારોને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે.

સાથે જ શરણાર્થીઓ માટે રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 

રવિવારે અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુનર્વસન માટે નિર્ધારિત સ્થળનું નિરીક્ષણ કર્યું. આ સાથે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો હતો.

આ પહેલા 11 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટની બેઠકમાં તેમના પુનર્વસન માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવારો રાજ્યમાં આવ્યા હતા.

કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું-  જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version