Site icon

Devendra Fadnavis: રાજ અને ઉદ્ધવ એક થાય તો ભાજપનું શું થશે? દેવેન્દ્ર ફડણવીસે આપ્યો સચોટ જવાબ; મુંબઈગરાઓના મન જીતવાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો

"રાજ અને ઉદ્ધવ ઠાકરેએ સાથે આવવામાં ઘણું મોડું કરી દીધું છે"; મુંબઈમાં ભાજપ જ જીતશે તેવો મુખ્યમંત્રી ફડણવીસનો મક્કમ આત્મવિશ્વાસ.

Devendra Fadnavis રાજ અને ઉદ્ધવ એક થાય તો ભાજપનું

Devendra Fadnavis રાજ અને ઉદ્ધવ એક થાય તો ભાજપનું

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis  મુંબઈ મહાનગરપાલિકાની (BMC) ચૂંટણી માટે આજે સોમવારથી રાજકીય જંગ જામવાનો છે, કારણ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આજે સંયુક્ત સભા દ્વારા પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે. ઠાકરે ભાઈઓના આ મિલનથી શિવસેના અને મનસેના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ગઠબંધનને પાયાવિહોણું ગણાવ્યું છે. એક ખાનગી ઈન્ટરવ્યુમાં ફડણવીસે દાવો કર્યો છે કે બંને ભાઈઓ હવે સાથે આવ્યા છે પણ તેનાથી ભાજપની જીત પર કોઈ અસર થશે નહીં.

Join Our WhatsApp Community

“જ્યારે વોટ બેંક જ ખતમ થઈ ગઈ ત્યારે સાથે આવ્યા” – ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે ભાજપની થિયરી રજૂ કરતા જણાવ્યું કે, રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવવામાં ખૂબ મોડું કરી દીધું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે તેમની પાસે મતોની ટકાવારી હતી ત્યારે તેઓ અલગ હતા, અને હવે જ્યારે મતો ખતમ થઈ ગયા છે ત્યારે તેઓ એક થયા છે.” ફડણવીસના મતે 2009માં જો આ બંને નેતાઓ સાથે આવ્યા હોત તો પરિણામ કંઈક અલગ હોત, પરંતુ હવે મરાઠી માણસ કે અમરાઠી નાગરિકો તેમને મત આપવાના નથી.

મરાઠી માણસના ઘર માટે ઠાકરેએ શું કર્યું? ફડણવીસનો સવાલ

મુખ્યમંત્રીએ શિવસેના પર આકરા પ્રહાર કરતા પૂછ્યું કે, વર્ષો સુધી સત્તામાં રહ્યા છતાં ઠાકરે પરિવારે મરાઠી માણસ માટે શું કર્યું? તેમણે આરોપ લગાવ્યો કે ઠાકરે માત્ર મોરચા કાઢતા રહ્યા પણ મરાઠી માણસને ઘર ન અપાવ્યા. ફડણવીસે બીડીડી ( ચાલીના પુનઃવિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મેં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ બિલ્ડરના હાથમાં ન જવા દીધો અને મ્હાડા (MHADA) દ્વારા 80 હજાર મરાઠી પરિવારોને મુંબઈમાંથી દેશવટો લેતા બચાવ્યા છે.”

આ સમાચાર પણ વાંચો : Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો

મુંબઈમાં ભાજપની જીતનો મક્કમ વિશ્વાસ

ફડણવીસે સ્પષ્ટ કર્યું કે ભાજપના વિકાસના કામો અને હિન્દુત્વના એજન્ડા સામે ઠાકરે ભાઈઓની યુતિ ટકી શકશે નહીં. તેમણે દાવો કર્યો કે મુંબઈના નાગરિકો હવે ભાવનાત્મક મુદ્દાઓ કરતા વિકાસને વધુ મહત્વ આપી રહ્યા છે. ભાજપ અને શિંદે જૂથ મુંબઈમાં બહુમતી સાથે ચૂંટાઈ આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ નિવેદન બાદ હવે ઠાકરે ભાઈઓ પોતાની સભામાં શું વળતો પ્રહાર કરે છે તેના પર સૌની નજર છે.

Shiv Sena UBT Rebellion: ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય: મુંબઈ-વસઈ ચૂંટણી પહેલા બળવો કરનાર 29 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા, અનિલ પરબના નજીકના નેતા પર પણ ગાજ
BMC Election 2026: શું શિંદે જૂથ તોડશે ઠાકરેનો દબદબો? મુંબઈ મહાનગરપાલિકામાં 87 બેઠકો પર ખેલાશે મરાઠી મતોનો અસલી ખેલ; જાણો અંદરની વિગત
Maharashtra Municipal Election: મહારાષ્ટ્રના જંગ માટે ઉદ્ધવ સેનાના 40 ‘મહારથીઓ’ મેદાનમાં! સ્ટાર પ્રચારકોની યાદી જાહેર; ‘આદેશ ભાવજી’ સંભાળશે મોરચો
PMC Election 2026: પુણે મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-અજિત પવાર વચ્ચે ‘બ્રેકઅપ’: રાજ્યમાં સાથે પણ પુણેમાં કેમ અલગ? અજિત પવારે આપ્યો ચોંકાવનારો જવાબ.
Exit mobile version