Site icon News Continuous Bureau | Mumbai

Jaipur: ચૌમુમાં ભયનો માહોલ: પથ્થરમારો અને તોડફોડ બાદ કર્ફ્યુ જેવી સ્થિતિ, અફવાઓ રોકવા ઇન્ટરનેટ પર પ્રતિબંધ..

ધાર્મિક સ્થળ પાસે પથ્થરો હટાવવા બાબતે મધરાતે મચ્યો હંગામો; ભીડને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા આંસુ ગેસના ગોળા, અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત.

Jaipur ચૌમુમાં ભયનો માહોલ પથ્થરમારો અને તોડફોડ બાદ કર્ફ્યુ જેવી

Jaipur ચૌમુમાં ભયનો માહોલ પથ્થરમારો અને તોડફોડ બાદ કર્ફ્યુ જેવી

News Continuous Bureau | Mumbai

Jaipur જયપુરના ચૌમુમાં બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મસ્જિદની બહાર પડેલા પથ્થરોને હટાવવા અંગે બે પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને સમુદાયોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયાના સમાચાર છે.

Join Our WhatsApp Channel

પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા

સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉશ્કેરાયેલી ભીડને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા. હાલ ચૌમુમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાયો છે.

૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવા ઠપ

અફવાઓને ફેલાતી રોકવા અને શાંતિ જાળવી રાખવા માટે પ્રશાસને ચૌમુમાં ઇન્ટરનેટ સેવાઓ પર કામચલાઉ પ્રતિબંધ લાદી દીધો છે. ૨૬ ડિસેમ્બર સવારે ૭:૦૦ વાગ્યાથી ૨૭ ડિસેમ્બર સવારે ૭:૦૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Thane Student: ઠાણેની સરકારી શાળામાં ૧૦મા ધોરણની વિદ્યાર્થિનીનો આપઘાત: હોસ્ટેલના રૂમમાં લટકતી મળી લાશ; કડક શિસ્ત કે સુવિધાઓનો અભાવ? પોલીસ તપાસ તેજ.

 હાલની પરિસ્થિતિ

જયપુર પોલીસના જણાવ્યા અનુસાર, અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે. પથ્થરમારો કરનારા તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રશાસને બંને સમુદાયના અગ્રણીઓ સાથે વાતચીત કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસ સતત વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.

 

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version