Site icon

નાકાબંધીમાં પકડાયો, શૌચાલયની બારીમાંથી ભાગ્યો; ગુજરાત પોલીસ ખાલી હાથે પાછી ફરી

નાકાબંધી દરમિયાન 50 લાખની કિંમતના ચોરીના માલસામાન સાથે અટકાયત કરાયેલા 22 વર્ષીય ધર્મશાળાનો કર્મચારી વર્લી પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. આ ચોર ગુજરાત રાજ્યનો ચોર છે અને વર્લી પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેની સામે વરલી પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

Mumbai : man sells drugs to children, arrested in Dahisar

દહિસરમાં ચાલતો હતો શાળાના વિધાર્થીઓને વ્યસની બનાવાનો ધંધો, બોરીવલી પોલીસે ગાંજા વેચનાર આરોપીની કરી ધરપકડ..

News Continuous Bureau | Mumbai

પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા ધર્મશાળાના કર્મચારીની ઓળખ મોહમ્મદ આફતાબ કાસિમ ખાન ઉર્ફે મોસીન ઈરફાન સૈયદ ઉર્ફે શેખ (22) તરીકે થઈ છે. મોહમ્મદ આફતાબ રૂસ્તમવાડ, સલબાદપુરા સુરત, ગુજરાત રાજ્યનો રહેવાસી છે. વરલી પોલીસની કસ્ટડીમાં રહેલા મોહમ્મદ આફતાબે સોમવારે પોલીસ સ્ટેશનના ટોયલેટની બારીમાંથી છલાંગ લગાવી દીધી હતી.

Join Our WhatsApp Community

મોહમ્મદ આફતાબને વર્લી પોલીસે 9 ફેબ્રુઆરીની રાત્રે જીજામાતા નગર જંકશન પર નાકાબંધી દરમિયાન શંકાસ્પદ તરીકે અટકાયતમાં લીધો હતો. પોલીસને તેના ટુ-વ્હીલરમાંથી રૂ. 50 લાખ 34 હજારના દાગીના મળી આવ્યા હતા. તેમજ જે બાઇક પર તે આવ્યો હતો તે પણ ચોરાઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વરલી પોલીસે તેની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે આ રકમ ગુજરાત રાજ્યના ચાર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હતી. વરલી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને વરલી પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ આફતાબ સામે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો અને ગુજરાત પોલીસને આ અંગે જાણ કરી હતી.

વર્લી પોલીસની આ કામગીરી બાદ સર્કલ 3ના ડેપ્યુટી કમિશનરે પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને ગુના અંગે માહિતી આપી હતી. ગુજરાત પોલીસ તેની કસ્ટડી લેવા મુંબઈ આવી રહી હતી. વરલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ કોલીએ માહિતી આપી હતી કે આરોપીના કસ્ટડી અપાય તે પહેલા તે પોલીસની નજરમાંથી છટકી ગયો હતો.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version