Site icon News Continuous Bureau | Mumbai

India Reaction on Venezuela Crisis: વેનેઝુએલાના તણાવ વચ્ચે ભારતની મોટી જાહેરાત: એસ. જયશંકરે નાગરિકોની સુરક્ષા ને લઈને કહી આવી વાત

માદુરોની ધરપકડ બાદ ભારતે તમામ પક્ષોને શાંતિ જાળવવા કરી અપીલ; વિદેશ મંત્રીએ લક્ઝમબર્ગથી દુનિયાને આપ્યો સ્પષ્ટ સંદેશ, 'ઓપરેશન સિંદૂર'નો પણ કર્યો ઉલ્લેખ.

India Reaction on Venezuela Crisis વેનેઝુએલાના તણાવ વ

India Reaction on Venezuela Crisis વેનેઝુએલાના તણાવ વ

News Continuous Bureau | Mumbai

India Reaction on Venezuela Crisis  વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ સર્જાયેલી સ્થિતિ પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને અમારી સૌથી મોટી ચિંતા વેનેઝુએલાના સામાન્ય નાગરિકોની સુરક્ષા છે.

Join Our WhatsApp Channel

તમામ પક્ષો બેસીને ઉકેલ લાવે – એસ. જયશંકર

એસ. જયશંકરે તમામ સંબંધિત પક્ષોને અપીલ કરી છે કે તેઓ એકસાથે બેસીને વેનેઝુએલાના લોકોના કલ્યાણ માટે શાંતિપૂર્ણ ઉકેલ શોધે. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ઘટનાક્રમ ગમે તે હોય, ત્યાંના લોકો સુરક્ષિત રહે. વેનેઝુએલા સાથે ભારતના વર્ષોથી ગાઢ સંબંધો રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે અમેરિકી દળોએ માદુરો અને તેમની પત્નીની કરાકાસથી ધરપકડ કરી છે અને તેમના પર ડ્રગ્સ તસ્કરીના કેસ ચલાવવાની તૈયારી કરી છે.

ભારતીય દૂતાવાસ એલર્ટ પર

ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે કરાકાસ સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ભારતીયોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે. ભારતે આ ઘટનાક્રમને અત્યંત ચિંતાજનક ગણાવ્યો છે અને સ્થિરતા જાળવવા માટે સંવાદ પર ભાર મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત? મુંબઈમાં સ્મોગને કારણે સૂર્યપ્રકાશ પણ ગાયબ, હેલ્થ એક્સપર્ટ્સે આપી આ ચેતવણી.

‘ઓપરેશન સિંદૂર’ અને વૈશ્વિક રાજનીતિ પર પ્રહાર

વૈશ્વિક રાજનીતિના બેવડા ધોરણો પર પ્રહાર કરતા જયશંકરે ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દુનિયામાં દેશો એ જ કરે છે જેમાં તેમનો ફાયદો હોય છે. ઘણીવાર લોકો સલાહ આપે છે પણ પોતે તેના પર અમલ કરતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે હંમેશા પોતાના હિતો અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. લોકો શું કહે છે તેના કરતા તેઓ શું કરે છે તે સમજવું જરૂરી છે.

Stock Market। ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારા વચ્ચે આ સ્ટોક્સ આવ્યા ચર્ચામાં
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
LPG Cylinder Prices June। જૂન મહિનામાં બદલાશે એલપીજી સિલિન્ડરના ભાવ? મે ના વધારા બાદ નવી કિંમતો જાહેર
US 250 Dollar Bill| અમેરિકી કરન્સીમાં મોટો ફેરફાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફોટાવાળી નવી નોટ આવશે બજારમાં
Exit mobile version