Site icon News Continuous Bureau | Mumbai

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ

Nationwide Chemist Strike 2026। ઈફાર્મસી પ્લેટફોર્મ અને ઓનલાઈન દવાઓ પર મળતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશનનું ૨૪ કલાકનું એલાન; ગુજરાત સહિત અનેક રાજ્યો હડતાળથી દૂર

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Nationwide Chemist Strike 2026। ઓનલાઈન ઈફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા દવાઓનું અનિયંત્રિત વેચાણ અને તેના પર અપાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે ‘ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા ૨૪ કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સંગઠનનો દાવો છે કે આ વિરોધ પ્રદર્શન હેઠળ દેશભરના આશરે ૧૫ લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખશે. જો કે, દર્દીઓને ગંભીર મુશ્કેલીઓથી બચાવવા અને ઇમરજન્સી સેવાઓ જાળવી રાખવા માટે જીવનરક્ષક દવાઓના સપ્લાય માટે વિશેષ વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી ત્રણ મુખ્ય માંગણીઓ

એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવાના વેપારીઓના હિતોને મોટું નુકસાન પહોંચાડી રહી છે. આ હડતાળ પાછળ વેપારીઓની ત્રણ મુખ્ય માંગણીઓ છે. પ્રથમ, સરકાર દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ અંગે બહાર પાડવામાં આવેલી અધિસૂચના સંખ્યા જીએસઆર ૮૧૭ ને તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે. દ્વિતીય, કોરોના રોગચાળા દરમિયાન લાગુ કરાયેલા જીએસઆર ૨૨૦ ના નિયમોને કાયમ માટે બંધ કરવામાં આવે અને તૃતીય, ઓનલાઈન કંપનીઓ દ્વારા અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાત્કાલિક રોક લગાવાય અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરીને પરંપરાગત છૂટક દુકાનદારોનું પ્રોફિટ માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની સ્પર્ધામાં ટકી શકે.

હડતાળ અંગે દેશભરમાં એકમતી નથી, ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં દુકાનો ખુલ્લી રહેશે

કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન એટલે કે સીડીએસસીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ હડતાળને લઈને દેશભરના વેપારીઓમાં એકમત જોવા નથી મળી રહ્યો. જાહેર હિત અને દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસંખ્ય રાજ્ય સ્તરીય ફાર્મસી સંગઠનોએ આ બંધથી પોતાને સંપૂર્ણપણે દૂર રાખ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રીટેલ ફાર્મસી એસોસિએશન્સે સરકારને લેખિત ખાતરી આપી છે કે તેમના રાજ્યોમાં તમામ મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ખુલ્લા રહેશે અને દવાઓની કોઈ અછત સર્જાવા દેવામાં નહીં આવે.

મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં બંધની વ્યાપક અસર, વહીવટીતંત્ર એલર્ટ મોડ પર

બીજી તરફ, મધ્યપ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો અને કર્ણાટકના ૨૦ હજારથી વધુ કેમિસ્ટો આ બંધમાં સક્રિયપણે જોડાવાના છે, જેના કારણે ત્યાં વ્યાપક અસર જોવા મળી શકે છે. ચંદીગઢમાં પણ સ્થાનિક સંગઠને બંધને સમર્થન આપ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કેટલાક મોટા મેડિકલ સ્ટોર્સને ૨૪ કલાક ખુલ્લા રાખવાની કડક સૂચના અપાઈ છે. તેલંગાણામાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા જનતા માટે હેલ્પલાઇન અને ટોલ-ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ અપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ મેડિકલ સ્ટોર્સને ફરજિયાતપણે ચાલુ રાખવાના આદેશ અપાયા છે. સીડીએસસીઓના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓની ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે અછત ચલાવી લેવામાં આવશે નહીં.

👉 આ સમાચાર વાચો:
PM Modi Donald Trump Meeting| વૈશ્વિક મંચ પર ભારતઅમેરિકાનો દબદબો પીએમ મોદી અને ટ્રમ્પ આવતા મહિને આ ખાસ દેશમાં કરશે મુલાકાત, એજન્ડા પર આખી દુનિયાની નજર

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version