Site icon News Continuous Bureau | Mumbai

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.

બે દાયકાથી બિહારની સેવા કર્યા બાદ નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં, એક્સ (X) પર પોસ્ટ કરીને લીધો ભાવુક નિર્ણય.

Nitish Kumar Breaks Silence I Want to Join Rajya Sabha, My Support to the New Government.

Nitish Kumar Breaks Silence I Want to Join Rajya Sabha, My Support to the New Government.

News Continuous Bureau | Mumbai

Nitish Kumar Breaks Silence બિહારના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવવાના એંધાણ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા મુખ્યમંત્રી નીતીશ કુમારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ હવે રાજ્યસભા જવા માંગે છે. ગુરુવારે સવારે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (X) પર એક ભાવુક પોસ્ટ દ્વારા તેમણે બિહારની જનતાનો આભાર માન્યો અને પોતાના ભવિષ્યના રાજકીય પ્લાન વિશે માહિતી આપી.

Join Our WhatsApp Channel

બંને ગૃહોના સભ્ય બનવાની ઈચ્છા

નીતીશ કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “સંસદીય જીવન શરૂ કરવાના સમયથી જ મારા મનમાં એક ઈચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બંને ગૃહો (વિધાનસભા અને વિધાનપરિષદ) સાથે સંસદના પણ બંને ગૃહોનો (લોકસભા અને રાજ્યસભા) સભ્ય બનું. આ જ ક્રમમાં હું આ વખતે રાજ્યસભાનો સભ્ય બનવા ઈચ્છું છું.” તેમણે વધુમાં ઉમેર્યું કે વિકસિત બિહાર બનાવવાનો તેમનો સંકલ્પ યથાવત રહેશે અને રાજ્યમાં જે પણ નવી સરકાર બનશે તેને તેમનું માર્ગદર્શન અને સહયોગ મળતો રહેશે.

જેડીયુ કાર્યકર્તાઓનો ભારે વિરોધ

નીતીશ કુમારના આ નિર્ણયથી જેડીયુ (JDU) કાર્યકર્તાઓમાં ભારે નારાજગી અને આઘાત જોવા મળી રહ્યો છે. પટનામાં મુખ્યમંત્રી આવાસની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને નીતીશ કુમારને બિહાર ન છોડવા વિનંતી કરી હતી. ઘણા નેતાઓ તો કેમેરાની સામે રડવા લાગ્યા હતા. કાર્યકર્તાઓનું કહેવું છે કે નીતીશ કુમાર સિવાય અન્ય કોઈને તેઓ મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા નથી. બિહારની જનતા તેમને પોતાનો પરિવાર માને છે અને આ નિર્ણય અત્યંત દુઃખદ છે.

આ સમાચાર પણ વાંચો : Dwi Dwadash Rajyog 2026: આકાશમાં રચાશે દ્વિદ્વાદશ રાજયોગ! શનિ-મંગળની યુતિ આજે મચાવશે ધૂમ; બેરોજગારોને મળશે નોકરી અને વ્યાપારમાં થશે મોટો ફાયદો.

બિહારમાં હવે કોણ હશે નવો ચહેરો?

નીતીશ કુમારના રાજ્યસભા જવાના નિર્ણય સાથે જ બિહારમાં હવે મુખ્યમંત્રી પદની ખુરશી કોણ સંભાળશે તે બાબતે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. નીતીશ કુમારે બે દાયકાથી વધુ સમય સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. તેમના કાર્યકાળમાં બિહારમાં અનેક વિકાસકાર્યો થયા છે જેનો ઉલ્લેખ પણ તેમણે પોતાની પોસ્ટમાં કર્યો છે. હવે આગામી દિવસોમાં બિહારના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, કારણ કે નવી સરકારની રચના માટે સમીકરણો ગોઠવવાનું શરૂ થઈ ગયું છે.

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version