Site icon News Continuous Bureau | Mumbai

Ambarnath Nagar Parishad Election: શિંદે સેનાના ગઢમાં ભાજપનું ગાબડું! અંબરનાથમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાજપમાં ભળ્યા, પાલિકામાં મોટો ઉલટફેર.

ચૂંટણી પછી ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ કોંગ્રેસે કર્યા હતા સસ્પેન્ડ; હવે વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો, 'અંબરનાથ વિકાસ અઘાડી' સંભાળશે સત્તા.

Ambarnath Nagar Parishad Election શિંદે સેનાના ગઢમાં ભાજપ

Ambarnath Nagar Parishad Election શિંદે સેનાના ગઢમાં ભાજપ

News Continuous Bureau | Mumbai

Ambarnath Nagar Parishad Election  મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આવેલા અંબરનાથ નગર પરિષદની ચૂંટણી પછી સર્જાયેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસના તમામ ૧૨ સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરો બુધવારે મોડી રાત્રે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે આ કાઉન્સિલરોને પક્ષમાં આવકારીને વિધિવત જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

સત્તાનું સમીકરણ અને ગઠબંધનનો માસ્ટરપ્લાન

અંબરનાથ નગર પરિષદની ચૂંટણીમાં શિવસેના (શિંદે જૂથ) ૨૭ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીના આંકડા (૩૦) થી ૪ બેઠક દૂર રહી ગઈ હતી. બીજી તરફ ભાજપ પાસે ૧૪, કોંગ્રેસ પાસે ૧૨ અને અજિત પવારની NCP પાસે ૪ બેઠકો હતી. ભાજપે શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે વિરોધી પક્ષો કોંગ્રેસ અને NCP સાથે મળીને ‘અંબરનાથ વિકાસ અઘાડી’ (AVA) બનાવી હતી. હવે અપક્ષના ટેકા સાથે આ ગઠબંધન પાસે ૩૨ સભ્યોનું સંખ્યાબળ છે.

કોંગ્રેસે કર્યા હતા સસ્પેન્ડ, હવે ભાજપમાં પ્રવેશ

૨૦ ડિસેમ્બરે આવેલા પરિણામો બાદ જ્યારે આ ૧૨ કાઉન્સિલરોએ ભાજપ સાથે હાથ મિલાવ્યા, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આ કાઉન્સિલરોએ વિકાસના નામે ભાજપની વિચારધારા અને કાર્યશૈલીને અપનાવવાનો નિર્ણય લીધો છે. રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું કે, સરકારની ગતિશીલતા જોઈને આ કાઉન્સિલરોએ જનતાના કામો માટે ભાજપ સાથે આવવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Union Budget 2026-27 Date: બજેટ 2026-27 ની તારીખો જાહેર: રવિવારે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ રચશે ઇતિહાસ, જાણો આખું શેડ્યૂલ

શિંદે જૂથ માટે મોટો આંચકો

અંબરનાથમાં શિવસેના માટે આ મોટો આંચકો છે કારણ કે બહુમતીની નજીક હોવા છતાં ગઠબંધનના ગણિતમાં તેઓ પાછળ રહી ગયા. હવે ભાજપના નેતૃત્વવાળી આ અઘાડી નગર પરિષદમાં સત્તા સંભાળશે. અંબરનાથ મુંબઈથી આશરે ૬૦ કિમી દૂર આવેલું છે અને તે પ્રાચીન શિવ મંદિર માટે પણ પ્રખ્યાત છે. હવે આ વિસ્તારમાં ભાજપનું કદ અનેકગણું વધી ગયું છે.

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
Exit mobile version