News Continuous Bureau | Mumbai
India-South Korea Ties| દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ તેમની ત્રણ દિવસીય રાજકીય મુલાકાતે ભારત પહોંચ્યા છે. સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરિયન મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મહત્વપૂર્ણ મુલાકાત બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની દિશામાં એક મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદી સાથે મહત્વની દ્વિપક્ષીય બેઠક
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ બેઠક દરમિયાન બંને નેતાઓ શિપ બિલ્ડિંગ, વ્યાપાર, રોકાણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકશે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક આપ-લે અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
#WATCH | Delhi: Lee Jae Myung, President of South Korea, receives a ceremonial welcome at the forecourt of Rashtrapati Bhavan.
President Droupadi Murmu and Prime Minister Narendra Modi are also present.
(Source: DD News) pic.twitter.com/vZG6P6jV4K
— ANI (@ANI) April 20, 2026
રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અને મુલાકાતનું મહત્વ
ભારત પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે કોરિયાના પ્રથમ મહિલા કિમ હી ક્યુંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે. અગાઉ, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ રાષ્ટ્રપતિ લી સાથે મુલાકાત કરીને બંને દેશોના સંબંધોને વિવિધ સ્તરે ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
#WATCH | Delhi: Lee Jae Myung, President of South Korea and his wife, Kim Hea Kyung, lay a wreath paying tribute to Mahatma Gandhi at Rajghat. pic.twitter.com/l3j4pjiExK
— ANI (@ANI) April 20, 2026
આર્થિક અને ઊર્જા સુરક્ષા પર ધ્યાન
હોરમૂઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટના સમયમાં ભારત અને દક્ષિણ કોરિયાનું સાથે આવવું ઘણું મહત્વનું છે. રાષ્ટ્રપતિ લીની મુલાકાતનો એક મુખ્ય ઉદ્દેશ્ય સપ્લાય ચેઈન અને એનર્જી સિક્યોરિટીમાં સહયોગ વધારવાનો પણ છે. ગત વર્ષે જી૨૦ શિખર સંમેલન બાદ બંને નેતાઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે ભારત અને દક્ષિણ કોરિયા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એકબીજા સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર છે.