બોબી દેઓલ ની વેબ સિરીઝ આશ્રમ માં જોવા મળેલી બબીતા એટલેકે અભિનેત્રી ત્રિધા ચૌધરી લગ્ન કરવા જઈ રહી છે 

આ વાત નો ખુલાસો ત્રિધા ચૌધરી એ પોતે કર્યો છે.  

મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ત્રિધા એ પોતાના લગ્નની તમામ વિગતો શેર કરી હતી. 

ત્રિધા ચૌધરીએ કહ્યું કે તે આવતા વર્ષે લગ્ન કરી લેશે. 

ત્રિધા એ હજુ સુધી તેના ભાવિ પતિનું નામ જાહેર કર્યું નથી. 

તેણે મીડિયા ને માત્ર એટલું જ કહ્યું કે તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે.

લગ્ન વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં ત્રિધાએ કહ્યું કે અમે બંને અત્યારે ખૂબ જ ખુશ છીએ અને અમને અમારા સંબંધોને ખાનગી રાખવા ગમે છે. 

ત્રિધાએ કહ્યું કે તે સાદાઈથી લગ્ન કરવા માંગે છે. તેણે કહ્યું અમે ગુરુદ્વારામાં લગ્ન કરીશું.