ઘણું મોટું ઝાડ થાય છે પણ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તેના પર કાજુ જેવા ફળ આવે છે. જે ભિલામાં (બીજ) પાણીમાં ડૂબી જાય તે શ્રેષ્ઠ મનાય છે. તે દવામાં વપરાય છે. ભિલામાનું તેલ ઘણું જ દાહક છે. તે શરીરના કોઈ પણ ભાગ પર લગાવવાથી ફોલ્લા પડી ખંજવાળ થાય છે.
ભિલામાનો ઉપયોગ વૈદ્યકમાં તેને શુદ્ધ કરી વાયુના રોગો મટાડવા થાય છે.
ધોબી તેને કપડાં પર નિશાન કરવા માટે વાપરે છે. તેના ડાઘ કપડા પરથી જતો નથી.
ભૂખ ન લાગતી હોય, ઝાડો સાફ ન થતો હોય, પેટ ફૂલેલું રહેતું હોય તેણે રોજ સવારે ભિલામાના તેલનું સેવન કરવું.
તે પધ્ધતિસર ખાવાથી બુધ્ધિ વધારે છે. આડેધડ વપરાશ ભારે નુકસાન કરે છે.