હાલમાં જ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અસિન અને રાહુલ ટૂંક સમયમાં અલગ થવાના છે. પરંતુ અભિનેત્રીએ એક નિવેદન જારી કરીને આ અફવાઓને રદિયો આપ્યો છે. 

તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા  કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક ઈવેન્ટ દરમિયાન એકબીજાનો હાથ પકડ્યો ન હતો, જેના કારણે તેમના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું 

શાહરૂખ ખાન અને ગૌરીના છૂટાછેડાને લઈને પણ ઘણી અફવાઓ ફેલાઈ હતી. ગૌરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાહરૂખ તેના વિશે ખૂબ જ પઝેસિવ હતો, જેના કારણે તે થોડા સમય માટે અભિનેતાથી અલગ થઈ ગઈ હતી 

અભિનેત્રી કાજોલ અને અજય દેવગનને લઈને થોડા મહિના પહેલા છૂટાછેડાની અફવાઓ ઉડી હતી. કાજોલનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે તે અજયથી અલગ થવાની છે.

જ્યારે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયા હતા ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે શિલ્પા રાજને છૂટાછેડા આપવાની છે. જોકે, પાછળથી આ અહેવાલો ખોટા સાબિત થયા.

અભિનેતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના છૂટાછેડાના સમાચારે પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. પરંતુ બાદમાં બંનેએ આ અફવાઓને બાજુ પર મૂકી દીધી હતી. 

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામની આગળ જોનાસ ને હટાવી દીધો હતો, ત્યારબાદ તેમના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું.