પાકિસ્તાનના એબોટાબાદમાં જન્મેલા મનોજ કુમાર ભાગલા પહેલા ભારત આવ્યા હતા. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે તે મુંબઈ પહોંચ્યા હતા
મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને ભાગલા પછી તેમનો પરિવાર થોડો સમય વિજયનગરમાં રહેતો હતો અને બાદમાં દિલ્હી આવી ગયો હતો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા જ તેણે પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખ્યું. જ્યારે મનોજ કુમાર કોલેજનું શિક્ષણ પૂરું કરી રહ્યો હતો ત્યારે તેણે એક્ટર બનવાનું સપનું જોયું હતું
મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોમાં ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તે દરમિયાન તેનો ક્રેઝ એટલો વધી ગયો કે તે ભારત કુમારના નામથી જાણવા લાગ્યો
મનોજ કુમારે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. મનોજ કુમાર રિયલ લાઈફમાં પણ ખૂબ જ સૌમ્ય વ્યક્તિ છે, પરંતુ એકવાર તેમને પણ શરમનો સામનો કરવો પડ્યો હતો
મનોજ કુમાર સિગારેટ પીવાની ખરાબ લત નો શિકાર બની ગયા હતા. તે ક્યારેક ખૂબ ધૂમ્રપાન કરતા હતા.આ વાત તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન પણ કહી હતી
મનોજ કુમારે જણાવ્યું કે એકવાર તે એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે આવ્યો હતો. જમવાનું પૂરું કર્યા પછી તે ધૂમ્રપાન કરવા લાગ્યો કે તરત જ એક છોકરી તેની પાસે આવી અને કહ્યું કે તમે ભરત કુમાર થઇ ને સિગારેટ પીઓ છો.તમને શરમ નથી આવતી
આ ઘટના પછી મનોજ કુમારે નક્કી કર્યું હતું કે તે ક્યારેય જાહેર સ્થળે ધૂમ્રપાન નહીં કરે. મનોજ કુમાર ને વર્ષ 2015માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને વર્ષ 1992માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે