આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કરંજ વિશે

અતિ સુંદર મધ્યમ કદનું સદારિત વૃક્ષ નદીનાં કાંઠા કોતરોમાં ઉગેલું જોવા મળે છે. પાન ૫-૭ કાયમી લીલા, ચળકતા તથા ફૂલ ગુલાબી સફેદ હોય છે. 

કરંજ વિશે

સુશોભિત વૃક્ષ તરીકે રસ્તા, નહેર, રેલ્વે લાઈન ઉપર ઉછેરવામાં આવે છે. આના વૃક્ષને જ્યારે ફૂલ આવે છે ત્યારે વૃક્ષ અતિ સુંદર લાગે છે.

કરંજ ઉપયોગ

બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જો ચામડીના રોગોમાં સંધિવા મટાડવામાં તેમજ સાબુ ઉદ્યોગમાં વપરાય છે.

કરંજ ઉપયોગ

છાલ લોહી ટપકતા મસામાં, પાન વાટીને લેપ જખમમાં મૂળરસ સોજામાં, ચાંદા સાફ કરવામાં વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન