દેશમાં 10 લાખ જેટલા રેશનકાર્ડ રદ થશે- ક્યાંક તમારો તો નંબર નહીં લાગે ને- જાણો અહીં

by Dr. Mayur Parikh
Ration Card new Rules :Your ration card will be canceled in these situations

News Continuous Bureau | Mumbai

દેશભરમાં લાખો પરિવારોને રાશનનો (rations) લાભ મળે છે. પરંતુ હવે સમગ્ર દેશમાં રેશનકાર્ડની ચકાસણી (Ration card verification) કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે દેશભરમાં 10 લાખ નકલી રાશન કાર્ડ (Fake Ration Card) છે. આ રેશનકાર્ડ રદ કરવામાં આવશે. જેમના રેશનકાર્ડ નકલી જણાશે તેમની પાસેથી પણ સરકાર રાશનની કિંમત પણ વસૂલ કરશે.

કોના કાર્ડ રદ થશે?

દેશભરમાં 80 કરોડથી વધુ લોકો ફ્રી રાશન કાર્ડનો (free ration card) લાભ લઈ રહ્યા છે. પરંતુ દેશમાં એવા અનેક લોકો છે જેઓ આ સુવિધા માટે લાયક નથી. આમ છતાં તેઓ વર્ષોથી મફત રાશનની સુવિધા માણી રહ્યા છે. તાજેતરમાં, સરકારે 10 લાખ અયોગ્ય રેશનકાર્ડ ધારકોની (Ineligible Ration Card Holders)  ઓળખ કરી છે. જે હવેથી મફતમાં ઘઉં, ચણા અને ચોખા નહીં મેળવી શકે. આ માટે અયોગ્ય રેશનકાર્ડ ધારકોની યાદી રેશન વિક્રેતાઓને (ration sellers) મોકલી આપવા આદેશ કરાયો છે. આવા કાર્ડ ધારકોનો રિપોર્ટ જિલ્લા મુખ્યાલયને (District Headquarters) મોકલશે. ત્યાર બાદ તેમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે. જે લોકો મફત રાશન માટે પાત્ર છે તેમને જ રાશન મળશે. જે લોકો 10 એકરથી વધુ જમીન ધરાવે છે અને જેમને 4 મહિનાની અંદર મફત રાશન મળ્યું નથી, તેમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More