મહારાષ્ટ્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાએ કર્યું મોટું એલાન, કહ્યું -‘હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું’… જાણો શું છે સમગ્ર મામલો

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર (Maharashtra) એનસીપીના ધારાસભ્ય (NCP MLA) જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે લખ્યું છે કે હું મારા ધારાસભ્યમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરી રહ્યો છું. આવ્હાડનો આરોપ છે કે પોલીસે તેમની સામે બે ખોટા કેસ દાખલ કર્યા છે. ઉપરાંત, આવ્હાડે કહ્યું છે કે તેઓ રાજીનામું આપી દેશે કારણ કે તેઓ લોકશાહીની હત્યાને જોઈ શકતા નથી. તેમના આ ટ્વિટથી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

થાણેના વિવિયાના મોલમાં એક મૂવી થિયેટરમાં દર્શકોને માર મારવાના કેસમાં જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી, જિતેન્દ્ર આવ્હાડને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. જે બાદ માત્ર બે દિવસમાં જિતેન્દ્ર આવડ સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ જિતેન્દ્ર આવ્હાડ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મુંબ્રા પોલીસે જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More