મુંબઈ મહાનગર પાલિકાના તમામ વોર્ડની ફરી એકવાર પુનર્રચના થશે. શિંદે સરકારે લીધો મોટો નિર્ણય.

by Dr. Mayur Parikh
મરીન ડ્રાઈવથી વરલીની મુસાફરી દસ મિનિટમાં, કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે? BMC તરફથી મોટું અપડેટ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ( Shinde government  ) પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કરીને મુંબઈ ( Mumbai ) સહિત 24 નગરપાલિકા અને મહાનગરપાલિકાની ના તમામ વોર્ડની ( wards  ) પુનઃરચના કરવાનો આદેશ આપી દીધો છે. આ આદેશ મુજબ હવે ફરી એક વખત તમામ વોર્ડના સીમાડાઓ ( boundaries ) બદલાશે ( change ) . અને આવું થશે તો ફરી એક વખત આરક્ષણ અને મહિલા બોર્ડની લોટરી પણ નીકળી શકે છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે અગાઉની ઉદ્ધવ સરકારે મુંબઈ  ( Mumbai ) શહેરના વોર્ડની ( wards ) સંખ્યા વધારીને 236 કરી નાખી હતી. આ નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટના દરવાજા ખખડાવ્યા માં આવ્યા હતા. આ ઉપરાંત આ સંદર્ભે આગામી સપ્તાહે સુનાવણી થવાની છે. પરંતુ સુનાવણી થાય તે પહેલાં જ મુખ્યમંત્રીના કાર્યાલય એ પોતાનો વિશેષાધિકાર વાપર્યો છે.

આ સમાચાર પણ વાંચો:   આ તારીખો નોંધી લેજો નહીં તો ડિસેમ્બરમાં પૈસા માટે મારવા પડશે ફાંફાં! આ 13 દિવસ બંધ રહેશે બેંક.. જુઓ રજાની યાદી

આ 24 નગરપાલિકાઓના વોર્ડની પુનઃરચના

મુંબઈ ( Mumbai ) , થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, વસઈ-વિરાર, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, નાસિક, અકોલા, અમરાવતી, નાગપુર, સંભાજીનગર નાંદેડ- વાઘાલા, લાતુર, પરભણી, ચંદ્રપુર, ભિવંડી-નિઝામપુર માલેગાંવ, પનવેલ, મીરા-ભાઈંદર ની 23 નગરપાલિકાઓની મુદત પૂરી થઈ ગઈ છે. હાલમાં ત્યાં વહીવટકર્તાઓ ચાર્જ સંભાળે છે. નવી રચાયેલી ઇચલકરંજી નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More