જાણીતા લેખક જાવેદ અખ્તરે કોમન સિવિલ કોડ ની તરફદારી કરી, કહ્યું આ કોડ દ્વારા સ્ત્રી અને પુરુષને સમાન હક આપવો જોઈએ. જો પુરુષો ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓ કેમ નહીં?

એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાતચીતમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે. પોતાની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે કોમન સિવિલ કોડ નો અર્થ થાય છે કે સ્ત્રી અને પુરુષને એક સ્તર પર લઈ આવવા. જો પુરુષને અધિકાર હોય કે તે ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓને પણ તે અધિકાર હોવો જોઈએ.

by Dr. Mayur Parikh
Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely

જાણીતા લેખક જાવેદ અખ્તર ( Javed Akhtar ) પોતાના નિવેદનોને કારણે અનેક વખત વિવાદમાં રહે છે. હાલ તેમણે દિલ્હી ખાતે એક જાણીતા મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં કોમન સિવિલ કોડ ( common civil code ) ની જરૂર જ છે. પરંતુ આ કોમન સિવિલ કોડ સંદર્ભે ગેરસમજ રાખવાની જરૂર નથી. કોમન સિવિલ કોડ એવી વસ્તુ હોવી જોઈએ જેને કારણે સ્ત્રી અને પુરુષને એક સમાન અધિકાર મળે. જો ( Islam ) પુરુષ ચાર લગ્ન ( marriage ) કરી શકે તો સ્ત્રીને પણ હક હોવો જોઇએ કે તે ચાર પતિ રાખી શકે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સત્તાધીશો આવશે અને જશે પરંતુ દેશ ત્યાંનો ત્યાં જ રહેશે. આ કારણથી આ દેશમાં સમાન કાયદાની તાતી જરૂર છે.

આ સમાચાર પણ વાંચો:  Love triangle : કાંદીવલી ની એન્જિનિયર એવી બે જોડકા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કરી લીધા. પોલીસે ફરિયાદ લખી. વીડિયો થયો વાયરલ….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More