તિરૂપતી બાલાજી મંદિરને એક જ દિવસમાં ૭.૬ કરોડનું રેકોર્ડબ્રેક હૂંડી દાન

આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસનું આ સૌથી મોટુ દાન છે. આ પૂર્વે ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ૬.૩ કરોડના સર્વોચ્ચ દાનનો રેકોર્ડ હતો.

by Dr. Mayur Parikh
On New Year, Tirumala temple hundi receives highest ever single day donation of Rs 7.6 crore

News Continuous Bureau | Mumbai

દેશમાં સૌથી વધુ ધન-સંપતિ ધરાવતા મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવતા તથા લાખો લોકોના શ્રધ્ધાના કેન્દ્ર સમા તિરૂપતિ બાલાજી મંદિરમાં એક જ દિવસમાં ૭.૬ કરોડના દાનનો રેકોર્ડ સર્જાયો છે. આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસનું આ સૌથી મોટુ દાન છે. આ પૂર્વે ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ૬.૩ કરોડના સર્વોચ્ચ દાનનો રેકોર્ડ હતો. તેના કરતા સોમવારે ૧.૩ કરોડ વધુ મળ્યા હતા. નવા કેલેન્ડર વર્ષે તિરુપતી બાલાજીના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા હતા. ૩૧મી ડીસેમ્બરની મધરાતથી જ ભાવિકોએ લાઇનો લગાવી દીધી હતી. ગત એપ્રિલમાં કોવિડ નિયંત્રણો દુર કરવામાં આવ્યા બાદ દર મહિને દાનના પ્રવાહમાં સતત વધારો થઇ રહયો જ હતો. તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે. ૨૦૧૨થી ૨૦૨૨ના દસ વર્ષમાં દાન કલેક્શન ડબલ થઇ ગયું છે. દેશના અન્ય જાણીતા મંદિરોમાં દર મહિને સરેરાશ ૪ કરોડનું દાન મળે છે જ્યારે તિરુપતિ બાલાજી મંદિરની સરેરાશ દૈનિક દાન આવક ૬ કરોડ છે. કોરોના કાળ પૂર્વે દર મહિને હૂંડીદાન ૯૦ થી ૧૧૫ કરોડ હતું. ગત એપ્રિલ બાદ તેમાં મોટો વધારો થઇ રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષનું હુંડીદાન ૧૫૦૦ કરોડને આંબવાનું અંદાજવામાં આવે છે. છેલ્લા વર્ષોનું હુંડીદાન ૨૦૧૭-૧૮ —– ૯૯૦.૯૭ કરોડ ૨૦૧૮-૧૯ —– ૧૦૫૨.૪૫ કરોડ ૨૦૧૯-૨૦ —– ૧૦૯૫ કરોડ ૨૦૨૦-૨૧ —– ૫૪૫.૯૫ કરોડ ૨૦૨૧-૨૨ —– ૮૩૮.૯૯ કરોડ ૨૦૨૨-૨૩ —– ૧૦૦૦ કરોડ (ડીસેમ્બર સુધી)

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં લિફ્ટ ક્રેશ થઈ: હાઈરાઈઝ ઇમારતમાં લિફ્ટ પડી જવાથી 20 વર્ષીય યુવકનું કરૂણ મોત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More