જય શ્રી રામ… અયોધ્યામાં આ તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે રામ મંદિરનું નિર્માણ.. ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી તારીખ 

by kalpana Verat
Phase 1 of Ram Mandir to be completed by December

News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં રામ મંદિર અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માહિતી આપી છે કે આવતા વર્ષે અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિર પૂર્ણ થશે. ત્રિપુરામાં એક જનસભામાં શાહે રામ મંદિર નિર્માણ અંગે માહિતી આપી છે. અમિત શાહે આ બેઠકમાં કહ્યું કે, 1 જાન્યુઆરી 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ જશે.

 આઝાદી બાદથી કોંગ્રેસે રામ મંદિરના નિર્માણ માટે અનેક અવરોધો ઊભા કર્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપ્યો હતો. અમિત શાહે એમ પણ કહ્યું કે મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું અને તરત જ કામ શરૂ થઈ ગયું.

આ સમાચાર પણ વાંચો :   IPhone 14 Pro જેવો આ સ્માર્ટફોન લોન્ચ થયો છે, તેમાં 5G સાથે ડાયનેમિક આઇલેન્ડ પણ છે

મોદી સરકારના સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.કોંગ્રેસના સમયમાં પાકિસ્તાનમાંથી ઘૂસણખોરો આવતા હતા અને આપણા જવાનોને મારીને જતા રહ્યા હતા, પરંતુ મોદી સરકારના સમયમાં ભારતે સીધી સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે ત્રિપુરામાં ભાજપની આગેવાની હેઠળની સરકારે પૂર્વોત્તર રાજ્યમાં આતંકવાદનો અંત લાવ્યો છે અને સર્વાંગી વિકાસ કર્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More