વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝના ઉદ્ઘાટન સમારોહમાં PM મોદીએ આપી હાજરી આપી, વારાણસીથી ડિબ્રુગઢ જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (13 જાન્યુઆરી, 2023) વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ MV ગંગા વિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. આ સાથે, પીએમ વારાણસીમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

by Akash Rajbhar
PM Modi attends inauguration

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (13 જાન્યુઆરી, 2023) વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ MV ગંગા વિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. આ સાથે, પીએમ વારાણસીમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે કરશે રવાના

વડા પ્રધાન મોદી શુક્રવારે સવારે વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર એમવી ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરીને રવાના કરશે. કાશીથી બોગીબીલ સુધીની 3200 કિમીની રોમાંચક યાત્રામાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સામેલ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રવિદાસ ઘાટ પર હાજર હતા. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ઉપરાંત અન્ય મંત્રીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ક્રૂઝની ફ્લેગઓફ સમારોહ યોજાયો.

ક્રુઝ વારાણસીથી આસામના ડિબ્રુગઢ પહોંચશે

આ દરમિયાન વડાપ્રધાન ગાઝીપુર અને બલિયાની ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, “આજનો દિવસ વિશ્વના રિવર ક્રૂઝના ઈતિહાસમાં લખવામાં આવશે કારણ કે તે વિશ્વની સૌથી લાંબી યાત્રા હશે. તે યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ સુધી જશે. આ યાત્રા દ્વારા માત્ર પર્યટનનો જ નહીં પરંતુ વેપારનો માર્ગ પણ ખુલશે.”

આ સમાચાર પણ વાંચો:અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

કાર્યક્રમમાં હાજર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કારણ કે આજથી શરૂ થનારી રિવર ક્રૂઝ કાશીને આસામ સાથે પણ જોડી રહી છે. આ ક્રૂઝમાં આવનાર મુસાફરોને મા કામાખ્યાના દર્શન થશે અને કાઝીરંગા વગેરેના જોવા મળશે.”

ગંગા વિલાસ ક્રૂઝ – 51 દિવસમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે

રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસ ઉત્તર પ્રદેશના વારાણસીથી શરૂ થશે અને આસામના ડિબ્રુગઢ પહોંચશે. 51 દિવસમાં 3,200 કિલોમીટરનો નદી માર્ગ કવર કરીને આ ક્રૂઝ ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને બાંગ્લાદેશથી આસામના ડિબ્રુગઢ પહોંચશે. પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના એક અધિકારીએ જણાવ્યું કે વિશ્વનું સૌથી લાંબુ રિવર ક્રુઝ શિપ એમવી ગંગા વિલાસ ભારતમાં બનેલ પ્રથમ ક્રુઝ જહાજ છે. તે રિવર ક્રુઝ સેક્ટરમાં આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More