RK સ્ટુડિયો પછી વેચાયો રાજ કપૂર નો બંગલો, જાણો અહીં શું બનશે અને કોણ છે ખરીદનાર

હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરનો ચેમ્બુરમાં આવેલો બંગલો વેચાઈ ગયો છે.

by Zalak Parikh
raj kapoor chembur house sold out know who is the buyer of the house

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દિગ્ગજ રાજ કપૂર જેને બધા ધ ગ્રેટ શોમેન તરીકે ઓળખે છે. ભલે તેઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કામ અને કેટલીક ખાસ યાદો આજે પણ લોકોમાં જીવંત છે. આવી સ્થિતિમાં દિવંગત અભિનેતા રાજ કપૂરનો ઐતિહાસિક બંગલો વેચાઈ ગયો છે. તે ચેમ્બુરમાં આવેલો છે, જે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાંથી એક છે. ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે આ બંગલો ખરીદ્યો છે. કંપનીએ આ બંગલો કપૂર પરિવાર પાસેથી ખરીદ્યો છે. અહેવાલો અનુસાર, મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં સ્થિત આ બંગલો એક એકરમાં ફેલાયેલો છે અને તેના માટે ખરીદનારે 100 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ખાસ વાત એ છે કે ગોદરેજ પ્રોપર્ટીઝે જે હેતુથી આ બંગલો ખરીદ્યો છે, તેનાથી તેમને કિંમત કરતાં 5 ગણો ફાયદો થશે.

 

ગોદરેજ પ્રોપર્ટીઝે બંગલો ખરીદ્યો 

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ગોદરેજ પ્રોપર્ટીઝે ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, આ મિલકત દિવંગત રાજ કપૂરના કાનૂની વારસદાર કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝના MD અને CEO ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે રાજ કપૂરનો આઇકોનિક પ્રોજેક્ટ હવે અમારા પોર્ટફોલિયોમાં જોડાયો છે. વાસ્તવમાં કંપની તેને લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં વિકસાવવા જઈ રહી છે. આ તમામ જમીનનો સોદો રાજ કપૂરના વારસદાર સાથે થયો છે. આ સાથે ગોદરેજ કંપનીના સીઈઓએ કપૂર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 2019માં આરકે સ્ટુડિયો પણ ગોદરેજ કંપનીએ ખરીદી લીધો હતો.જો રિપોર્ટ્સનું માનીએ તો રાજ કપૂરનો બંગલો જે જગ્યા પર છે તે ચેમ્બુરનો સૌથી મોંઘો વિસ્તાર છે. તમને જણાવી દઈએ કે રાજ કપૂરના આ આલીશાન બંગલામાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની મોટી કોલેજ છે. 

 

ભાવુક થઇ ગયા રણધીર કપૂર 

રાજ કપૂરનો મોટો પુત્ર રણધીર કપૂર પોતાનો બંગલો વેચ્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. બંગલો વેચાયા બાદ તેણે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, ‘ચેમ્બુરમાં અમારું ઘર અમારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાં અમારી ઘણી યાદો છે.અમે ફરી એકવાર ગોદરેજ સાથે જોડાયેલા હોવાનો આનંદ અનુભવીએ છીએ. અમને ખાતરી છે કે કંપની અમારા આ વારસાને આગળના તબક્કામાં લઈ જશે. તમને જણાવી દઈએ કે રાજ કપૂર માત્ર નિર્દેશક-નિર્માતા જ નહોતા, પરંતુ તેઓ પોતે અભિનેતા પણ હતા. શો મેન સિવાય તે ઘણી અભિનેત્રીઓનું કરિયર બનાવવા માટે પણ જાણીતા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More