સુપ્રીમમાં મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ : 3 વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યુને અચાનક કેમ ફૂટ પડી? CJI એ રાજ્યપાલ પર ઉઠાવ્યા સવાલ.. કરી તીખી ટિપ્પણી..

by Dr. Mayur Parikh
Maharashtra Politics :Supreme Court to hear Shiv Sena symbol dispute today, Uddhav seeks permission to use name, symbol and flag

News Continuous Bureau | Mumbai

રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તેઓએ જાણવું જોઈએ કે જો તેઓ વિશ્વાસનો મત બોલાવે છે, તો તે સરકારના પતનમાં પરિણમી શકે છે. શિવસેનામાં ભાગલા પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભૂમિકા અંગે કોર્ટે કહ્યું, “રાજ્યપાલે ધ્યાન રાખવું જોઈએ કે જો વિશ્વાસ મત બોલાવવામાં આવે તો સરકારને પણ જોખમ થઈ શકે છે.” ખંડપીઠે કહ્યું કે રાજ્યપાલે એવો નિર્ણય ન લેવો જોઈએ, જેના પરિણામે સરકાર પતન થાય.

કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એકનાથ શિંદે જૂથના વિદ્રોહ વિશે કહ્યું, ‘તેઓએ ત્રણ વર્ષનો સંબંધ તોડી નાખ્યો. કોંગ્રેસ, એનસીપી સાથે તેમનું ગઠબંધન ચાલી રહ્યું હતું. છેવટે, રાતોરાત શું થઈ ગયું? ચીફ જસ્ટિસે કહ્યું કે રાજ્યપાલે સવાલ પૂછવો જોઈતો હતો કે તમે ત્રણ વર્ષ કેવી રીતે સાથે રહ્યા? ચૂંટણીના એકાદ માસ બાદ મહાગઠબંધન અંગે પ્રશ્ન ઊભો થયો હોત તો સમજી શકાય તેમ હતું. પરંતુ ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા બાદ 34 લોકોનું જૂથ કહે છે કે મતભેદ છે અને રાજ્યપાલ તરીકે તમે એક દિવસ વિશ્વાસ મતની વાત કરો.

ખંડપીઠે પૂછ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બોલાવવાનો આધાર શું છે. આ અંગે એકનાથ શિંદે જૂથનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ પાર્ટીની અંદર મતભેદ છે. પરંતુ આનાથી વિશ્વાસ મત માંગવાનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય નથી. તેમણે કહ્યું કે રાજ્યપાલે એ હકીકતને નજરઅંદાજ ન કરવી જોઈએ કે જો ત્રણ પક્ષોનું ગઠબંધન હોય તો ચોક્કસથી કોઈને કોઈ અસંમત થશે. રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે જો તેઓ ઇચ્છત તો 34 ધારાસભ્યના પત્રને શિવસેનાનો આંતરિક પ્રશ્ન માનીને તેને અવગણી શક્યા હોત. તેઓએ વિચારવું જોઈતું હતું કે આ ધારાસભ્યોએ ત્રણ વર્ષમાં એક પણ પત્ર નથી મોકલ્યો અને અચાનક તેઓ એક પછી એક છ પત્ર મોકલી રહ્યા છે. રાતોરાત બધું કેવી રીતે બદલાઈ જાય છે?

આ સમાચાર પણ વાંચો : સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂનમાં ભાજપે એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવી હતી. સીએમ એકનાથ શિંદે છે અને દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, ચૂંટણી પંચે 40 ધારાસભ્યો અને એક ડઝનથી વધુ સાંસદોને સાથે લઈને આવેલા એકનાથ શિંદેને શિવસેનાના નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. હાલમાં ઉદ્ધવ ઠાકરે સરકાર હાર્યા બાદ પણ પાર્ટી માટે લડી રહ્યા છે. જોકે ઉદ્ધવનું કહેવું છે કે બાળાસાહેબ ઠાકરેનું નામ અને વારસો તેમની સાથે છે, જેને કોઈ છીનવી શકશે નહીં. આ નામ અને વારસો શિવસેનાની ઓળખ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More