મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં કુવાની છત ધસી પડતા આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

by Dr. Mayur Parikh
12 dead as roof of well collapses at city temple

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
આજના પાવન દિવસે ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે અને 20 લોકોને રેસ્ક્યુ કરી બહાર નિકાળવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું કે 30 ફૂટ ઊંડા સ્ટેપવેલમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. અધિકારીઓને આ પગથિયાં વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ તેઓને તેની જાણ થઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ હતો.

આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે રાહત, 1 એપ્રિલથી આ દવાઓ નહીં થાય મોંઘી, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More