પીક અવર્સ દરમિયાન જ આ રેલવે ખોરવાઈ. લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

by Dr. Mayur Parikh
Mumbai Local train news : block on western railway for construction of infrastructure works at dahanu road

News Continuous Bureau | Mumbai

આજે ફરી એકવાર પીકઅવર્સ દરમિયાન પશ્ચિમ રેલવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ એસી લોકલનો ઓવરહેડ વાયર તૂટવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મુસાફરોને હાલાકી

આ ટેકનિકલ ખામીને કારણે પીક અવર્સમાં બોરીવલીથી ચર્ચગેટ તરફ જતા મુસાફરોને અસુવિધા થઈ રહી છે. ઘણા લોકોએ લોકલમાંથી ઉતરીને આગળ મુસાફરી કરવાનું પસંદ કર્યું છે. હાલ આ વાયરને જોડવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. વિરારથી આવતી તમામ ટ્રેનો આના કારણે બંધ થઈ ગઈ છે અને પશ્ચિમ રેલવેએ પણ આ અંગે માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો:  ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ

ટ્રેનો બંધ થઈ ગઈ, સમયપત્રક ખોરવાયું

પશ્ચિમ રેલવેએ માહિતી આપી છે કે સવારે 10:02 વાગ્યે પશ્ચિમ રેલ્વે માર્ગ પર દહિસર અને બોરીવલી વચ્ચે ઓવર હેડ વાયર તૂટી પડતાં ત્રણ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી, જેમાં એક એસી લોકલ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. બંને લાઇન પરની ટ્રેનોને ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી રહી હોવાથી પશ્ચિમ રેલવેનું સમગ્ર શિડ્યુલ ખોરવાઈ ગયું છે અને આ નિષ્ફળતાને કારણે ઘણા લોકો ટ્રેનમાંથી ઉતરીને સવારના સમયે મુસાફરી શરૂ કરી હતી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More