મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

by kalpana Verat
Sharad Pawar says he has decided to step down as NCP president

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વરિષ્ઠ રાજકારણી શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. તેમના પુસ્તકના વિમોચન માટેનો એક કાર્યક્રમ આજે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે.

એનસીપી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે હું  અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

શરદ પવારેજૂન 1999માં કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી. શરદ પવારે તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે રોટલી સમયસર ન ફેરવાય તો બળી જાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More