શહનાઝ ગિલ સાથે કામ કરી ચૂકેલા આ પંજાબી સિંગર નું 30 વર્ષ ની વયે થયું દુઃખદ નિધન, ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઉભરતા ગાયક કંવર ચહલનું નિધન થઈ ગયું છે. જો કે તેણે કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. કંવરના અંતિમ સંસ્કાર પંજાબના માણસામાં ભીખી ખાતે થવાના છે.

by Zalak Parikh
punjabi singer kanwar chahal is no more

News Continuous Bureau | Mumbai

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી લોકોના દિલને સ્પર્શવાની શક્તિ ધરાવતા ગાયક કંવર ચહલનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંવર ચહલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઉભરતા સિતારાઓમાંના એક હતા જેના સંગીત ને લઈને ઘણા સપના હતા. જણાવી દઈએ કે કંવરે શહનાઝ ગિલ સાથે પણ કામ કર્યું છે.કંવર ચહલના અકાળે નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર સંગીત ઉદ્યોગ આ સમયે શોક અને આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંવરના અંતિમ સંસ્કાર પંજાબના માનસામાં ભીખી પાસે કરવામાં આવશે, જ્યાં તેમનો પરિવાર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપશે.

શહનાઝ ગિલ સાથે કર્યું હતું કામ 

અહેવાલ છે કે કંવર ચહલે શહનાઝ ગિલ સાથે ‘મઝે દી જટ્ટી’માં કામ કર્યું હતું. કંવર ચહલનું પહેલું ગીત ‘ગલ સુન જા’ જબરદસ્ત હિટ રહ્યું હતું. તેના અન્ય હિટ ગીતોમાં ‘ડોર’, ‘ઈક વોર’, ‘બ્રાન્ડ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.જણાવી દઈએ કે તાજેતરના સમયમાં પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને આવી અનેક આંચકોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી, ત્યારે ગાયક નિર્વૈર સિંહે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More