મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: બસ 50 ફૂટ ઊંચા પુલની રેલિંગ તોડીને નદીમાં ખાબકી; આટલા લોકોના થયા મોત, સેંકડો ઘાયલ

by kalpana Verat
Madhya Pradesh bus accident: 22 killed as bus falls off bridge in Khargone

 

  News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આજે(મંગળવારે) એક મોટી દુર્ઘટના ઘટી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં ઈન્દોર તરફ જઈ રહેલી બસ પુલ પરથી નીચે ખાબકી છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે. જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ મૃતકોમાં નવ મહિલાઓ, નવ પુરૂષો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકો ખરગોન અને બરવાનીના જણાવવામાં આવી રહ્યા છે. બસ શ્રીખંડીથી ઈન્દોર જવા રવાના થઈ હતી. તમામ મુસાફરો તેમના પરિવારના સભ્યો સાથે ખુશીથી મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ ખરગોન-થિકરી રોડ પરથી પસાર થતી વખતે અચાનક બસ બેકાબૂ થઈ ગઈ અને બોરાડ નદી પરના 50 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પડી ગઈ. અકસ્માત સમયે બસમાં 45થી વધુ મુસાફરો સવાર હતા.

આ સમાચાર પણ વાંચો : મેટ્રો સમય તો બચાવે છે, પરંતુ મુંબઈકરોના ખર્ચમાં થયો વધારો.. શહેરના આ વિસ્તારમાં મકાનના ભાવ તોડી રહ્યા છે રેકોર્ડ..

અકસ્માતનું કારણ બસની વધુ સ્પીડ હોવાનું અગાઉ માનવામાં આવતું હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં બસની સ્પીડ વધુ હોવાની શક્યતા નકારી કાઢવામાં આવી રહી છે. બસ ફિટનેસ ટેસ્ટમાં પણ ફિટ જોવા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાંકડા પુલને કારણે બસની સ્પીડ વધુ ઝડપી ન હતી, કદાચ ડ્રાઈવર ઊંઘી ગયો હોવાને કારણે આ અકસ્માત થયો હોય. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More