મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ, શિંદે જુથના આટલાં નેતાઓ બની શકે છે મંત્રી

by kalpana Verat
મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ, શિંદે જુથના આટલાં નેતાઓ બની શકે છે મંત્રી

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં બહુપ્રતીક્ષિત કેબિનેટ વિસ્તરણની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આગામી સપ્તાહે એકનાથ શિંદે સરકાર કેબિનેટનું વિસ્તરણ કરીને તેનો અમલ કરશે. જેમાં શિંદે કેમ્પના 8 નેતાઓ મંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 9 ઓગસ્ટ 2022ના રોજ એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 18 ધારાસભ્યોએ શપથ લેવડાવ્યા હતા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના અને 9 મંત્રીઓ એકનાથ શિંદે જૂથના છે.

30 જૂને એકનાથ શિંદેએ સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ‘બ્રિજ સિટી’ સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેડ-વરિયાવ બ્રિજનું લોકાર્પણ, 8 લાખની વસ્તીને આવાગમનમાં મળશે મોટી રાહત

નેતા જે અત્યારે કેબિનેટમાં છે

ભાજપના કોટામાંથી- ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુરેશ ખાડે, અતુલ સેવ, રવિન્દ્ર ચવ્હાણ, મંગલ લોઢા, વિજય કુમાર ગાવિત

શિવસેના શિંદે જૂથમાંથી- ઉદય સામંત, સંદીપન ભુમરે, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, સંજય રાઠોડ, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More