જેનિફર, મોનીકા બાદ હવે ‘રીટા રિપોર્ટર’ એ સંભળાવી પોતાની આપવીતી, શો ના મેકર્સ વિશે કહી આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી પ્રિયા આહુજાએ સેટ પર કેવા પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અને અસિત મોદીએ તેની સાથે કેવું વર્તન કર્યું તે વિશે વાત કરી.

by Zalak Parikh
taarak mehta ka ooltah chashmah rita reporter aka priya ahuja opens up against asit modi behavior

News Continuous Bureau | Mumbai

એક પછી એક સ્ટાર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ બોલવા લાગ્યા છે. પહેલા જેનિફર મિસ્ત્રી, પછી મોનિકા ભદોરિયા અને હવે રિપોર્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા પણ ખુલ્લેઆમ સામે આવી છે. પ્રિયા શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી હતી અને તેની ભૂમિકા નિયમિત ન હોવા છતાં પણ તેને દર્શકો દ્વારા યાદ કરવામાં આવે છે. પ્રિયાએ કહ્યું છે કે તે શોમાં મળેલી ટ્રીટમેન્ટથી ખુશ નથી.

 

તારક મહેતા ના કલાકારો ને માનસિક સતામણી નો કરવો પડતો હતો સામનો 

મીડિયા  સાથેની વાતચીતમાં પ્રિયા એ જણાવ્યું કે કેવી રીતે તેની સાથે અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો અને થોડા સમય પછી તેને દૂધ માં પડેલી માખીની જેમ બહાર ફેંકી દેવામાં આવી. પ્રિયાએ કહ્યું, “હા, કલાકારોને તારક મહેતામાં કામ કરતી વખતે માનસિક સતામણીમાંથી પસાર થવું પડે છે. બહુ થયું.” પ્રિયા આહુજાએ કહ્યું, “ત્યાં કામ કરતી વખતે મને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ તેની મને બહુ અસર થઈ નહીં કારણ કે માલવ, મારા પતિ 14 વર્ષ સુધી તે શોના ડિરેક્ટર હતા, તેઓ પૈસા કમાતા હતા. અસિત કુમાર મોદી ભાઈ, રામાણીએ ક્યારેય મારી સાથે ગેરવર્તણૂક કરી નથી. પરંતુ જ્યાં સુધી કામની વાત છે ત્યાં સુધી વર્તન ઘણીવાર અન્યાયી હતું. માલવ સાથે લગ્ન પછી તેણે મારો ટ્રેક ઓછો કર્યો. મેં આસિત ભાઈને મારા ટ્રેક અંગે ઘણી વાર મેસેજ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો.”

 

તારક મહેતા ના મેકર્સ તરફથી નહોતું મળતું સન્માન 

પ્રિયાએ કહ્યું કે ઘણી વખત અસિત તેને કહેતો હતો કે તારે કામ કરવાની શી જરૂર છે? પતિ કમાય છે, તું રાણીની જેમ જીવ માલવ છે ને? પ્રિયાએ કહ્યું કે કારણ કે માલવ પાસે કામ હતું અને તે બાકીના શો પકડી લેતી હતી, તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ માલવે શો છોડી દીધો ત્યારથી અસિત મોદીએ તેને કોઈ જવાબ આપ્યો ન હતો અને ન તો મેકર્સે તેનો સંપર્ક કર્યો હતો. પ્રિયાએ કહ્યું કે છેલ્લા 6-8 મહિનામાં તેમના વલણને કારણે મને ખાતરી છે કે તે લોકો મને ક્યારેય બોલાવશે નહીં.પ્રિયાએ કહ્યું કે તેના પતિએ 14 વર્ષ સુધી નિર્માતાઓ સાથે કામ કર્યું છે પરંતુ તેમ છતાં તેમને મૂળભૂત સન્માન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં તેને લાગે છે કે મોનિકા ભદોરિયા જેવા લોકો ખોટું નથી બોલી રહ્યા. કારણ કે મારા મેસેજનો જવાબ આપવા માટે મને આટલું માન આપવું તેઓ યોગ્ય નહોતા માનતા. પ્રિયાએ કહ્યું, “તમે મને 9 મહિના સુધી શોમાં આમંત્રણ નહોતું આપ્યું કારણ કે માલવ સાથેનો તમારો સંબંધ ખતમ થઈ ગયો હતો. તે પછી તમે મને માખીની જેમ બહાર ફેંકી દીધી.”

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More