ગો ફર્સ્ટ એરલાઇનની માઠી બેઠી, હવે આ તારીખ સુધી ફ્લાઈટ્સ રદ્દ.. રિફંડ અંગે કંપનીએ આપ્યો આ જવાબ

by kalpana Verat
Go First extends flights cancellation till August 18

News Continuous Bureau | Mumbai

ભારે દેવાના દબાણમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ હવે 30 મે, 2023 સુધી રદ કરવામાં આવી છે. કંપનીએ બજેટ અને ઓપરેશનલ કારણોને ટાંકીને આ તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણી વખત એરલાઈન્સે તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે.  

શુક્રવારે ટ્વિટર પર પોસ્ટ કરીને, એરલાઇન્સે કહ્યું, “અમને એ જણાવતા ખેદ થાય છે કે ઓપરેશનલ કારણોસર, GoFirst ફ્લાઇટ્સ 28 મે, 2023 સુધી સ્થગિત કરવામાં આવી છે.” ફ્લાઇટ કેન્સલ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. એરલાઈન્સે કહ્યું કે ટૂંક સમયમાં તમામ પેસેન્જરોને પેમેન્ટ રિફંડ કરી દેવામાં આવશે.

એરલાઈન્સે એમ પણ કહ્યું કે કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી ફરી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે મુસાફરો માટે રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે. જો કે આ માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં નાગરિકોનું જીવન જોખમમાં, પાલિકાનું 226 બિલ્ડીંગ માટે હાઈ એલર્ટ, જાહેર કરી યાદી..

કારણ બતાવો નોટિસનો આ જવાબ આપ્યો.

મંગળવારે, બજેટ કેરિયર GoFirst એ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરાયેલ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો. એરલાઇન્સ કંપનીએ કહ્યું કે તેની પાસે કામગીરી ફરી શરૂ કરવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી.

‘ઓપરેશન ટૂંક સમયમાં ફરી શરૂ થશે’

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે એરલાઈન્સે વહેલી તકે કામગીરી ફરી શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે GoFirst તરફથી હજુ સુધી કોઈ નિશ્ચિત સમયમર્યાદા આવી નથી, પરંતુ કંપનીએ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. અગાઉ, કંપનીએ 15 દિવસની અંદર ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલ કારણ બતાવો નોટિસનો જવાબ આપવો પડતો હતો.

નોંધપાત્ર રીતે, નિયમનકારે GoFirstને તેની કામગીરી ચલાવવામાં અસમર્થતાના કારણો સમજાવવા કહ્યું હતું અને નવી બુકિંગ અને ટિકિટનું વેચાણ બંધ કરી દીધું હતું. જ્યારે NCLTના આદેશને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે અને GoFirst Airlinesની નાદારીની અરજી સ્વીકારવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને હરાવ્યું, હવે ચેન્નઈ સામે ફાઈનલ્સ માં ટકરાશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More